ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો Heart Attack, મુસાફરોને બચાવવા માટે ડ્રાઈવરે જે કર્યું તે મુસાફરોને હંમેેશા યાદ રહેશે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-31 11:09:07

આપણે જ્યારે બસ મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ડ્રાઈવરને ન જાણવા છતાંય તેમની પર વિશ્વાસ રાખીએ છીએ. આપણે આપણી જિંદગી ડ્રાઈવરના હાથમાં સોંપતા હોઈએ છીએ મુસાફરી વખતે. ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી એક ચૂકની કિંમત અનેક લોકોને ચૂકવવી પડતી હોય છે. કોઈ વખત ડ્રાઈવરની ચૂકને કારણે અકસ્માત સર્જાય છે અને અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આજે વાત ડ્રાઈવરની કરવી છે જેમણે સમય સૂચકતા રાખી અનેક લોકોના જીવ બચાવ્યા છે. ઘટના છે ઓડિશાની જ્યાં બસ ડ્રાઈવરને બસ ચલાવતી વખતે હાર્ટ એટેક આવ્યો. છાતીમાં દુખાવો શરૂ થતાં જ ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી અને બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવને બચાવી લીધા.  


બસ ડ્રાઈવરને ડ્રાઈવિંગ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક  

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ ગયો છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને વ્હાલા થઈ રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિ અચાનક મોતને ભેટે છે. હાર્ટ એટેક શબ્દ સામાન્ય બની ગયો છે. આ સમાચાર પણ હાર્ટ એટેક રિલેટેડ જ છે. સામાન્ય રીતે હાર્ટ એટેક આવે છે ત્યારે છાતીમાં દુખાવો થાય છે અને જીવ જતો રહે છે. છાતીમાં દુખાવો થાય ત્યારે અનેક લોકોને અહેસાસ થઈ જતો હોય છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેકનો કિસ્સો ઓડિશાથી સામે આવ્યો છે જેમાં બસ ડ્રાઈવરને ડ્રાઈવિંગ કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો. 


બસને સાઈડમાં ઉભી રાખી બચાવ્યો પેસેન્જરોનો જીવ!

જે બસ ડ્રાઈવર સાથે આ દુર્ઘટના બની તેમની જિંદગી પર 60 જેટલા મુસાફરોની જિંદગીની જવાબદારી હતી! એટલે કે જે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો તે બસમાં 60 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. છાતીમાં દુખાવો ઉપડ્તા ડ્રાઈવર બેભાન થવા લાગ્યા. પરંતુ બેભાન થાય તેની પહેલા તેમણે બસને સાઈડમાં સુરક્ષિત ઉભી રાખી. બસના મુસાફરો તો બચી ગયા પરંતુ તે ડ્રાઈવરનો જીવ બચી ન શક્યો. ડ્રાઈવરને લોકો ડોક્ટર પાસે લઈ ગયા પરંતુ ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા. 


દુર્ઘટના સર્જાતા બચી!

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના મંગળવારે બની હતી. પોલીસે જણાવ્યું કે બસમાં પશ્ચિમ બંગાળના પ્રવાસીઓ હતા. તેમને લઈને જતી બસ પંચલિંગેશ્વર મંદિર જઈ રહી હતી, ત્યારે ડ્રાઈવર શેખ અખ્તરને હાર્ટ એટેક આવ્યો. દર્દનો અનુભવ થતાં જ શેખ અખ્તરે બસ રોડની બાજુમાં રોકી દીધી. બસ ઉભી થતા જ તે બેભાન થઈ ગયો. મહત્વનું છે કે ડ્રાઈવરની સમય સૂકચતાને કારણે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સુરક્ષિત છે. જો ડ્રાઈવર બસને સાઈડમાં  ન ઊભા રાખતા તો કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શક્તી હતી.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે