બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ડોક્ટરે આપ્યો પડકાર! સોશિયલ મીડિયા પર ચેલેન્જ કરતી પોસ્ટમાં લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-17 12:01:19

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની ચર્ચાઓ હાલ જોવા મળી રહી છે.  દેશભરમાં હિન્દુત્વના નવા પોસ્ટર બોય અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ગુજરાતમાં થવાનો છે. રાજ્યના વિવિધ શહેરોમાં તેમનો દરબાર ભરાવાના છે. અમદાવાદ તેમજ રાજકોટમાં તેમના દિવ્ય દરબાર ભરાવાનો છે. ત્યારે ગુજરાતની મુલાકાતે બાબા આવે તેની પહેલા વિવાદ શરૂ થઈ ગયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેને બાબા અંગે નિવેદન આપ્યું હતું તે બાદ અમદાવાદ મેડિકલ એસોશિયેશનના સભ્ય અને જાણીતા ડોક્ટર વસંત પટેલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પકડાર ફેંક્યો છે. 

 અમદાવાદમાં પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયા પર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર ફેંક્યો છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીમાં જો ખરેખર કોઈ શક્તિ છે તો તેઓ કિડની અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને સાજા કરે. તેમજ દેશમાંથી નક્સલવાદને આતંકવાદનો ખાતમો કરે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને ડોક્ટરે ફેંક્યો પડકાર!

દેશમાં ઘણા સમયથી ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે. દેશના અનેક રાજ્યોમાં શાસ્ત્રીનો દરબાર ભરાતો હોય છે અને દરબારમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજરી આપતા હોય છે. ત્યારે ગુજરાતમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવાનો છે. ગુજરાતના સુરત, અમદાવાદ તેમજ રાજકોટમાં તેમના દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ તેમની ગુજરાત મુલાકાત પહેલા વિવાદ શરૂ થઈ ગયો છે. અનેક લોકો તેમને પડકાર ફેંકી રહ્યા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય અને ડોક્ટર વસંત પટેલે તેમને બાબાને પકડાર ફેંક્યો છે. અમદાવાદમાં બાબાનો દરબાર 29 અને 30 મેના રોજ લાગવાનો છે. 

 મહત્વનું છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો દિવ્ય દરબાર ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં લગાવે તે પહેલા જ તેમની સામે વિરોધના સૂર ઉઠ્યા છે. એટલે આગામી દિવસોમાં તેમનો આ દિવ્ય દરબાર ભરાય છે કે પછી વિવાદ સર્જાય છે, તે જોવાનું રહ્યું.

સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ!

ડોક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ છે કે જો તેમનામાં કોઈ શક્તિ કામ કરે છે તો કેન્સર અને કિડની હોસ્પિટલમાં દર્દીઓના દુખ દૂર કરે. તે સિવાય બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ભોળા અને લાલચુ ભક્તો જોગ જો બાબા બાગેશ્વરમાં શક્તિ હોય તો ભારતમાં આતંકવાદીઓ અને નક્સલીઓનો ખાતમો કરે.

દરબાર પહેલા જ છેડાયો વિવાદ!   

ઉલ્લેખનિય છે કે આની પહેલા વિજ્ઞાન જાથાના ચેરમને નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મના નામે તુત ફેલાવી રહ્યા છે, તે ધર્મના નામે લોકોની ભાવના સાથે રમત રમી રહ્યા છે. સાથે જ વિજ્ઞાન જાથાના ચેરમેને બાબાને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો તે ચમત્કાર જાણતા હોય તો ડ્રગ્સ અંગે માહિતી આપે. દેશમાં અ નેક સમસ્યાઓ છે, તેનું સમાધાન આપે. બાકી અન્ય ખોટી વાતો ન કરે. ત્યારે હવે ડોક્ટરે બાબાને પકડકાર આપ્યો છે. મહત્વનું છે કે બાબાની ગુજરાત મુલાકાત પહેલા વિરોધ અને વિવાદ શરૂ થઈ ગયો છે.      



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!