રાજસ્થાનમાં નેતાઓ વચ્ચે ચાલતો વિવાદ શાંત થયો! સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાન થયા બાદ પાર્ટીએ કરી આ જાહેરાત!


  • Published By :
  • Published Date : 2023-05-30 10:48:29

રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા હાઈકમાન્ડ મેદાનમાં આવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની વાત સામે આવી છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના ઘરે રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું આ વર્ષે યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી બંને નેતાઓના નેતૃત્વમાં લડાશે. 

બંને નેતાઓ સાથે મળી ચૂંટણી લડશે!

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ ચાલતો હતો. પોતાની સરકાર વિરૂદ્ધ સચિન પાયલોટે મોરચો ખોલ્યો હતો અને કોંગ્રેસની સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ બંને નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસના રાજસ્થાનના પ્રભારી રંધાવા પણ ઉપસ્થિત હતા. બેઠક દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા. બેઠક બાદ મોડી રાત્રે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જાહેરાત કરી કે અશોક ગેહલોત અને સચિન પાયલોટ એકસાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠકમાં રાહુલ ગાંધી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર હતા.

મીટિંગ દરમિયાન રાહુલ ગાંધી પણ હતા ઉપસ્થિત!

વેણુગોપાલે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના નેતા સચિન પાયલટ સાથે બેઠક કરી હતી. જે પછી પાર્ટીએ નિર્ણય કર્યો કે ગેહલોત અને પાયલોટ બંને મળીને ભાજપ સામે એક થઈને ચૂંટણી લડશે. આ દરમિયાન ગેહલોત અને પાયલોટ બંને હસતા હતા.       


સચિન પાયલોટ સમાધાન બાદ નહીં કરે આંદોલન!

મહત્વનું છે કે સચિન પાયલોટ દ્વારા આપવામાં આવેલું અલ્ટીમેટમ 30મેના રોજ પૂર્ણ થવાનું છે. પરંતુ અલ્ટીમેટમ પૂરૂ થાય તે પહેલા જ મામલો સમેટાઈ ગયો છે. મુદ્દો ઉકેલાઈ ગયો છે. પરંતુ આ મામલે હજી સુધી સચિન પાયલોટે કંઈ નિવેદન આપ્યું નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે સમાધાન બાદ પાયલોટ હવે આંદોલન નહીં કરે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.