નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા પ્રેક્ષકોએ જમાવટને કરી ફરિયાદ, સ્ટેડિયમમાં 10 રુપિયાની વેફરના વસૂલાય છે 80 રુપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-12 15:11:15

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક હોટલના બિલનો ફોટો વાયરલ થયો હતો. વાયરલ થયેલા બિલમાં છાશની કિંમત 200 રૂપિયા દેખાતી હતી. છાશને ગુજરાતીઓનું પીણું માનવામાં આવે છે. ગુજરાતીઓનું ભોજન છાશ વગર અધુરૂ ગણાય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક છાશના ગ્લાસ માટે 200 રુપિયા વસુલાયા હતા. આ વાયરલ થયેલું બિલ કેવડિયાની સંકલ્પ ગાર્ડન ઈન હોટલનું હતું. પરંતુ વાત આજે આની નથી કરવી. અનેક એવી જગ્યાઓ હોય છે જ્યાં આપણને રીતસરના લૂંટવામાં આવે છે.  


પાણીની બોટલ માટે ચૂકવવી પડે છે મોટી રકમ! 

એવી અનેક જગ્યાઓ હોય છે જ્યાં ઓછી કિંમતે મળતી વસ્તુઓ માટે આપણે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. એ પછી થિયેટર હોય કે પછી હાઈવે પર આવેલી હોટલો હોય. આ જગ્યાઓ પર પાણીની બોટલથી લઈ નાસ્તા સુધીની વસ્તુઓ માટે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. ત્યારે ક્રિકેટ સ્ટેડિયમ પણ આનાથી બાકાત નથી. હાલ આઈપીએલ મેચ ચાલી રહી છે. તે દરમિયાન મેચને જોવા મોટી સંખ્યામાં દર્શકો આવતા હોય છે. સ્ટેડિયમની અંદર વોટર બોટલ કે નાસ્તાની વસ્તુઓ લાવવાની પરમિશન નથી આપવામાં આવતી. જેને લઈ ના છૂટકે દર્શકોએ પાણીની બોટલ ત્યાંથી જ ખરીદવી પડતી હોય છે. બહાર 10 કે 20 રૂપિયામાં મળતી પાણીની બોટલ સ્ટેડિયમની અંદર 100 રુપિયાની મળે છે. તરસ લાગી હોય તો ના છૂટકે વધારે પૈસા આપીને પાણીની બોટલ ખરીદવી પડતી હોય છે. 


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વસૂલાય છે બેફામ રીતે રુપિયા!  

આઈપીએલની અનેક મેચ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને આવનાર દિવસોમાં રમાવાની છે. ત્યારે જમાવટને અનેક દર્શકોએ ફરિયાદ કરી હતી કે વધારે પૈસા લેવામાં આવે છે. વોટર બોટલના 100 રૂપિયા જેટલી કિંમત વસૂલવામાં આવે છે. તે સિવાય પણ ઓછી કિંમતમાં મળતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી જાય છે. સ્ટેડિયમમાં તો આવું થાય છે પરંતુ ઘણી વખત રિક્ષા વાળા પણ મનફાવે તેટલા ભાવ વસૂલે છે. જો રિક્ષા નથી મળતી અથવા તો તમારે રાત્રે મોડા જવું હોય તો રિક્ષા વાળા ભાવ માટે મોટું મોઢું ખોલે છે. ત્યારે કહેવાનું મન થાય કે આપત્તિને અવસરમાં બદલવી સારી વાત છે પરંતુ કોઈની ખરાબ પરિસ્થિતિનો લાભ લેવો કેટલું યોગ્ય? જ્યાં સુધી આપણા ઉપર નથી વિત્તું ત્યાં સુધી આપણને ખબર નથી પડતી



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.