નવા સંસદ ભવનની ડિઝાઈન આ દેશના સંસદ ભવનના ડિઝાઈન સાથે મળતી આવે છે! કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે તસવીર કરી શેર


  • Published By :
  • Published Date : 2023-05-31 16:01:54

28મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન પહેલા સંસદ ભવનને લઈ વિવાદો સર્જાયા હતા. 21 જેટલી રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે અનેક રાજકીય પાર્ટી કાર્યક્રમમાં સામેલ થઈ હતી. ઉદ્ધાટનને અનેક દિવસો વિતી ગયા છે પરંતુ વિવાદ શાંત નથી થઈ રહ્યો. તૃણુમૂલ કોંગ્રેસના સાંસદ તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે નવા સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું હતું.

  

દિગ્વિજયસિંહે અને જવાહર સરકારે કર્યું ટ્વિટ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ નવું સંસદ ભવન દેશને સમર્પિત કર્યું છે. ત્યારે ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. 21 જેટલી રાજકીય પાર્ટીઓએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો ત્યારે આજે ફરી આ મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે. ટીએમસીના રાજ્યસભાના સાંસદ જવાહર સરકારે તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે નવા સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું છે. જવાહર સરકારે કહ્યું કે આફ્રિકી દેશ સોમાલિયાની જૂની સંસદ ભવનમાંથી નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યારે દિગ્વિજયસિંહે સંસદની ડિઝાઈનને કોપી કેટ કહ્યું છે. 

મમતા બેનર્જીએ પણ કર્યો હતો ફોટો શેર!

મહત્વનું છે કે થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું હતું. બે તસવીરો શેર કરવામાં આવી હતી. એક ફોટામાં જવાહરલાલ નહેરૂ કેબિનેટ મંત્રીઓ સાથે દેખાય છે જ્યારે બીજા ફોટામાં પીએમ મોદી સંતો સાથે દેખાય છે. મહત્વનું છે સંસદ ભવનને લઈ અનેક ટ્વિટ કરવામાં આવી છે. કોઈએ નવા સંસદ ભવનની ડિઝાઈનને કોફિન સાથે સરખાવી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.