ટ્વિટર પરથી હટી કોરોના ભ્રમિત નીતિ, આ નિર્ણયથી એલોન મસ્ક ફરી આવ્યા ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2022-11-30 13:48:53

કોરોના કેસ વધતા ટ્વિટરે કોવિડ અંગે ખોટી માહિતી ન જાય તે માટે નીતિ બનાવી હતી. જેમાં લોકો અનુભવ શેર કરતા હતા પરંતુ કોઈ વખત ખોટી માહિતી પણ શેર કરવામાં આવતી હતી જેને કારણે ટ્વિટરે કોવિડ ભ્રમિત નીતિ અમલમાં લાવી હતી. પરંતુ એલન મસ્કે આ નીતિને હટાવી દીધી છે. જેને કારણે હવે લોકો ટ્વિટર પર ભ્રમિત કરનારી અથવા તો ખોટી માહિતી આપતી પોસ્ટ પણ શેર થઈ શકશે.  


ટ્વિટરે હટાવી કોરોના ભ્રમિત નીતિ  

ટ્વિટરની કમાન જ્યારથી એલોન મસ્કે સંભાળી છે ત્યારથી ટ્વિટર ચર્ચામાં અવારનવાર આવી રહ્યું છે. ટ્વિટરે કોરોના કેસ વધતા કોવિડ ભ્રામક નીતિ બનાવી હતી. જે મુજબ ટ્વિટર પર કોઈ પણ વ્યક્તિ કોરોના અંગે ખોટી માહિતી આપી શકે નહી. કોરોના અંગે પોતાનો અનુભવ લોકો શેર કરતા હતા જેમાં અનેક વખત ખોટી માહિતી અથવા તો ભ્રમિત કરી દે તેવી જાણકારી આપવામાં આવતી હતી. જેને કારણે ટ્વિટર આ નીતિને લઈને આવ્યું હતું. પરંતુ એલોન મસ્કે અચાનક આ નિયમને હટાવી દીધો છે. જેને કારણે ટ્વિટર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. 




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.