વિશાલાથી નારોલ તરફ જતાં શાસ્ત્રીબ્રિજની હાલત જોતા લેવાયો નિર્ણય! બે મહિના માટે આ વાહનોના આવન-જાવન પર લાગ્યો પ્રતિબંધ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-09 12:48:52

રોડ રસ્તાની હાલત અંગે અનેક સમાચારો સામે આવતા હોય છે. તેમાં પણ રાજ્યના અનેક બ્રિજો એવા છે જેની હાલત અત્યંત દયનિય છે. અમદાવાદની સાબરમતી નદી પર વિશાલા સર્કલથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજને લઈ એક નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI હેઠળ આ હાઇવે રોડ આવતો હોવાથી તેઓ દ્વારા બ્રિજના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. રિપેરિંગ કામને લઈ 9 જૂનથી આગામી બે મહિના માટે વિશાલા સર્કલથી નારોલ તરફ જતાં ડાબી તરફના બ્રિજ પર ભારે વાહનોના અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  


રાજ્યના બ્રિજોનું કરાયું હતું ઈન્સપેશક્શન!

રાજ્યના અનેક બ્રિજોની હાલત બિસ્માર છે. દિવાળી સમયે બનેલી મોરબી હોનારતમાં પુલ ધરાશાયી થયો હતો,જેમાં 130 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તમામ બ્રિજોને ચકાસવાનો નિર્ણય લીધો હતો. થોડા દિવસો પહેલા બ્રિજ ઈન્સપેક્શનને લઈ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે કુલ 35700 જેટલા બ્રિજોની તપાસ કરવામાં આવી છે. 


વિશાલા-પીરાણા બ્રિજ માટે લેવાયો નિર્ણય!

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 12 જેટલા બ્રિજની હાલત અતિબિસ્માર છે. બ્રિજને બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જે બ્રિજોને રીપેરિંગની જરૂર છે તેમનું સમારકામ કરવામાં આવશે. અમદાવાદની સાબરમતી નદી પર વિશાલા સર્કલથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજને લઈ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 9 જૂનથી આગામી બે મહિના માટે વિશાલા સર્કલથી નારોલ તરફ જતાં ડાબી તરફના બ્રિજ પર ભારે વાહનોના અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.     

   

અટલ બ્રિજ પરના કાચને પણ કરાયા બંધ!

મહત્વનું છે કે કરોડોના ખર્ચે બનેલો અટલ ફૂટ બ્રિજ પણ થોડા સમય પહેલા ચર્ચામાં આવ્યો હતો. બ્રિજ પર રાખવામાં આવેલા કાચ પર તિરાડો દેખાઈ હતી. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા કાચની આજુબાજુમાં રેલિંગ કરવામાં આવી છે. આ નિર્ણયને લઈ લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી. અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી હતી. શાસ્ત્રી બ્રિજ પરથી બે મહિના દરમિયાન માત્ર 2 વ્હીલર, રિક્ષા તેમજ નાની ગાડીઓ જ પાસ થઈ શકશે. લોડિંગ ટેમ્પો, મીનિબસ તેમજ ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.