પાવાગઢ મંદિર ટ્રસ્ટના નિર્ણયનો આજથી થશે અમલ, છોલેલા શ્રીફળને લઈ જવા પર મૂકાયો છે પ્રતિબંધ, આ નિર્ણયનો ભક્તો કરી શકે છે વિરોધ!


  • Published By :
  • Published Date : 2023-03-20 11:36:05

થોડા દિવસો પહેલા અંબાજીમાં મોહનથાળ પ્રસાદને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે પાવાગઢ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં છોલેલું શ્રીફળ નહીં લઈ જવાય તેવી જાહેરાત કરવામાં આવી હતી. મોહનથાળનો પ્રસાદ ફરી એક વખત અંબાજીમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આજથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળને લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. માતાજીને માત્ર આખું શ્રીફળ જ અર્પણ કરવામાં આવશે. 

  

આજથી પાવાગઢ મંદિરમાં નહીં લઈ જવાય છોલેલુ શ્રીફળ 

અંબાજી મંદિરમાં થોડા સમય પહેલા પ્રસાદમાં અપાતા મોહનથાળનું વિતરણ બંધ કરી ચિક્કી પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયને લઈ માઈભક્તોમાં રોષની લાગણી વ્યાપી ઉઠી હતી. નિર્ણયનો અનેક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પણ આ મુદ્દાને લઈ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે વધતા વિરોધને જોતા પ્રસાદ ફરી એક વખત શરૂ કરવામાં આવ્યો છે.  મોહનથાળ પ્રસાદ વિવાદનો ઉકેલ આવ્યો ન હતો તે દરમિયાન પાવાગઢ ટ્રસ્ટ દ્વારા શ્રીફળ પ્રસાદને લઈ નિર્ણય કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. કોઈ પણ ભક્ત શ્રીફળ લઈને મંદિરમાં પ્રવેશ ન કરી શકે તે માટે સિક્યોરિટીને પણ તૈનાત કરી દેવામાં આવી છે.       


માઈભક્તોમાં અને વેપારીઓમાં ભારે રોષ 

મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેવી વાત ટસ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. આ નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી તે મુજબ આ નિર્ણયની અમલી આજથી કરવામાં આવી રહી છે. આજથી ભક્તો પાવાગઢ મંદિરમાં છોલેલુ શ્રીફળ નહીં લઈ જઈ શકે. મંદિરમાં કોઈ પણ વ્યક્તિ છોલેલુ શ્રીફળ લાવી શકશે નહીં. ઉપરાંત જે કોઈ વેપારી છોલેલું શ્રીફળ રાખશે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે માઈભક્તોમાં તેમજ દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. 


શ્રીફળ પ્રસાદને લઈ શરૂ થશે વિવાદ!

નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. નવરાત્રી દરમિયાન અનેક ભક્તો શ્રીફળને લઈ માન્યતા રાખતા હોય છે. ત્યારે થોડા દિવસો બાદ નવરાત્રી પર્વનો પ્રારંભ થવાનો છે. તે સમયે આ નિર્ણયની અમલી થતાં અંબાજી મંદિરમાં પ્રસાદને લઈ જેવો વિરોધ થયો હતો તેવો વિરોધ આમાં પણ થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!