ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં વધી રહ્યો છે મોતનો આંકડો


  • Published By :
  • Published Date : 2022-11-24 11:32:09

ઈન્ડોનેશિયામાં થોડા દિવસો પહેલા 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ આવવાને કારણે અનેક ઈમારતો ધારાશાયી થઈ ગઈ હતી. અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. આ આંકડો સતત વધી રહ્યો છે. અધિકારીક રિપોર્ટના હિસાબથી આ ઘટનામાં 271થી અધિક લોકોના મૃત્યુ થયા છે જ્યારે અંદાજીત 151 જેટલા લોકો લાપતા થઈ ગયા છે. આ ઘટનામાં અંદાજીત 1083 જેટલા લોકો ઘાયલ થયા છે તમામ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. 

Indonesia earthquake: Rescuers battle aftershocks as survivor search  continues - BBC News

Indonesia earthquake: Search for survivors as death toll soars - BBC News

એક બાળકનું કરાયું રેસ્ક્યું 

સોમવારે પશ્ચિમ જાવા ક્ષેત્રમાં આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકો હજી પણ ઝરઝરીત ઈમારતોની નીચે દબાઈ ગયા છે. રાહત બચાવની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે બુધવાર રાત્રે એક બાળક ઈમારતોની નીચેથી જીવતો મળી આવ્યો. બાળકને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે