નેશનલ ગેમ્સની તારીખમાં થયા ફેરફાર.. બે દિવસ પાછળ ઠેલાઈ..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 21:20:34

ગુજરાત સરકારે 36મી નેશનલ ગેમ્સ 2 દિવસ પાછળ લઈ જવાનો નિર્ણય લીધો છે. અગાઉ 8 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે નેશનલ ગેમ્સનું આયોજન થશે. પરંતુ હવે નિર્ણય બદલી તારીખો 2 દિવસ પાછળ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


ગુજરાતમાં પહેલીવાર યોજાનાર નેશનલ ગેમ્સમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેવાના છે. દેશના અનેક ખુણેથી રમતવીરો આવતા ગુજરાત એક ખાસ કેન્દ્ર બની રહેશે. ગુજરાતના 6 મહાનગરોમાં 202 ઈવેન્ટસ યોજાવા જઈ રહી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનની અનુમતિ બાદ નેશનલ ગેમ્સ ગુજરાતમાં યોજાતા રાજ્યના અને દેશના અનેક ખેલાડીને એક માધ્યમ મળી રહેશે. ગુજરાતના રમતવીરોને નેશનલ ગેમ્સ પ્લેટફોર્મ મળવાથી તેમની પ્રતિભા દેશ અને દુનિયા સામે રાખવાની મદદ મળશે. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.