આ તારીખે જાહેર થઈ શકે છે Loksabha Electionની તારીખ, ચૂંટણીને લઈ શરૂ કરાઈ આ તૈયારી..


  • Published By :
  • Published Date : 2024-02-23 16:52:02

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે અને દરેકની તે જાહેરાત પર ચર્ચા છે. ત્યારે ચૂંટણી પંચના સૂત્રોના માધ્યમથી સમાચાર સામે આવ્યા છે ચૂંટણીની તારીખો 13 માર્ચે જાહેર કરવામાં આવી શકે છે. 7થી 8 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે તેવી સંભાવના છે.  છેલ્લા અનેક મહિનાઓથી ચૂંટણી તૈયારીઓનું મૂલ્યાંકન કરવા પંચ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ એટલે કે CEO સાથે નિયમિત બેઠકો કરી રહ્યું છે. 



ચૂંટણી પંચ લાગી ચૂંટણીને લઈ તૈયારીઓમાં!

એવી માહિતી સામે આવી છે કે ચૂંટણી આયોગ તમિલનાડુ રાજ્યની મુલાકાતે છે. તે પહેલા ઉત્તરપ્રદેશની મુલાકાત ચૂંટણી પંચ લેવાની છે.  જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારની પણ મુલાકાત લઈ શકે છે. આ મુલાકાત બાદ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે તેવી માહિતી સૂત્રોના આધાર પરથી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે રાજ્યોમાં હમણાં જ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે રાજ્યોની મુલાકાત ચૂંટણી આયોગ નહીં લે. મિજોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢમાં હાલમાં જ ચૂંટણી યોજાઈ હતી. 


સંવેદનશીલ વિસ્તારમાં અપાશે વધારે ધ્યાન!

એવા અનેક રાજ્યો છે જ્યાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. સંવેદનશીલ રાજ્યોમાં વધારે સુરક્ષા બળો તૈનાત કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. એવી રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિઘ્ન ના આવે. ચૂંટણી વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે