થોડા સમય પહેલા બનેલા વાડજ મેટ્રો સ્ટેશનના પડ્યા પોપડા! નવનિર્મિત સ્ટેશનના પોપડા ઉખડતા એક જ દિવસમાં કરાયું રિપેરિંગ! જૂઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-05-06 17:43:51

અમદાવાદીઓની સુવિધામાં વધારો થાય તે માટે થોડા સમય પહેલા મેટ્રો ટ્રેનની સેવા શરૂ કરવામાં આવી હતી. એક જગ્યાથી બીજા જગ્યા પર પહોંચવા માટે લોકોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે એએમટીએસ બાદ બીઆરટીએસ બસની સુવિધા શરૂ કરવામાં આવી હતી. તે બાદ મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. ચૂંટણી સમયે આ સેવા લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારે મેટ્રો ચર્ચામાં આવી છે. વાડજ મેટ્રો સ્ટેશનના પોપડા પડવાની ઘટના સામે આવી છે. નવ નિર્મિત મેટ્રો સ્ટેશનના પોપડા ઉખડી જતા સમારકામ કરવામાં આવ્યું છે.


વાડજ મેટ્રો સ્ટેશનમાં ઉખડ્યા પોપડા!

થોડા સમયથી અનેક બ્રિજો ચર્ચામાં રહ્યા છે. એ પછી હાટકેશ્વર બ્રિજ હોય કે પછી થોડા સમય પહેલા બનેલો અટલ બ્રિજ હોય. કરોડોના ખર્ચે બનેલા અટલ બ્રિજની શોભા કાચ વધારતા હતા. પરંતુ કાચમાં તિરાડ પડતાં કાચને રેલિંગથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઈ કાચ પર કોઈ ચાલી શકશે નહી. ત્યારે ચૂંટણી સમય શરૂ થયેલી મેટ્રોની સેવા ચર્ચામાં આવી છે. મેટ્રો સ્ટેશનના પોપડા પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વાડજ મેટ્રો સ્ટેશનમાં પોપડા પડ્યા છે. પોપડા પડતા કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. એક જ દિવસમાં સ્લેબને ફરીથી તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીએ જણાવ્યું કે ભેજ ઉતરવાને કારણે આ પોપડા પડ્યા હતા અને તેનું રિપેરીંગ કરી દેવામાં આવ્યું છે.


સદનસીબે આ વખતે દુર્ઘટના ટળી પરંતુ જો જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ હોત? 

હજી હમણાં જ તો મેટ્રો ટ્રેનની સુવિધા શરૂ થઈ છે. સેવાનો પ્રારંભ થવાને એક વર્ષ પણ નહીં થયું હોય અને મેટ્રો સ્ટેશનમાં આવી સમસ્યા ઉભી થઈ ગઈ છે. ત્યારે મેટ્રોના બાંધકામને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મેટ્રો સ્ટેશનનું નિર્માણ થયે હજૂ મહિનાઓ જ થયા છે ત્યાં આ પ્રકારની ઘટનાને ગંભીર ગણી શકાય. આ ઘટના અંગે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે કોઈ જાનહાની થઈ નથી. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ નથી થઈ પરંતુ કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો?ગંભીર બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત?   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!