Chaitar Vasavaને કોર્ટે આપ્યો મોટો ઝટકો, નર્મદા જિલ્લામાં નહીં પ્રવેશી શકે, આ કારણોસર કરી હતી કોર્ટમાં અરજી પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-03-19 13:09:16

લોકસભા ચૂંટણીને લઈ જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે ગઠબંધન કર્યું છે અને તે મુજબ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. નર્મદા કોર્ટમાં ચૈતર વસાવાએ અરજી કરી હતી કે પ્રચાર માટે તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે પરંતુ કોર્ટે પ્રચાર માટે જામીનની શરતો રદ કરવાની અરજીને ફગાવી દીધી છે અને તે મુજબ ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં નહીં પ્રવેશી શકે.   


કોર્ટમાં કરી હતી અરજી પરંતુ... 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ બની રહ્યો છે. અનેક બેઠકો પર ઉમેદવારો વચ્ચે શાબ્દિક પ્રહારો થવાના શરૂ થઈ ગયા છે પરંતુ ભરૂચ લોકસભા બેઠક એવી હતી જ્યાં તો ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલતો જંગ અનેક વખત જોવા મળે છે. નિવેદનને કારણે આ બેઠકને લઈ ચર્ચા થતી રહે છે. ચૈતર વસાવા મનસુખ વસાવા માટે બોલે છે તો મનસુખ વસાવા ચૈતર વસાવા માટે બોલે છે. ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે પરંતુ ચૈતર વસાવાને મોટો ઝટકો પડ્યો છે. પરંતુ નર્મદા કોર્ટે ચૈતર વસાવાને મોટો ઝટકો આપ્યો છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પ્રવેશ નથી કરી શકતા જેને લઈ તેમણે નર્મદા કોર્ટમાં અરજી કરી હતી. પ્રચાર માટે જામીનની શરતો રદ કરવામાં આવે તેવી અરજી કરી હતી પરંતુ કોર્ટે તે અરજીને રદ્દ કરી દીધી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.