રાજધાની ટ્રેન રોકવા મામલે જીગ્નેશ મેવાણી સહિત 31 લોકોને આરોપમાંથી કોર્ટે કર્યા મુક્ત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-01-17 11:22:29

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોર્ટે મોટી રાહત આપી છે. એક મેટ્રોપોલિટન અદાલતે મંગળવારે 2017ના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને 30 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. તેમની ઉપર 2017માં રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેન રોકવાનો આરોપ હતો. 2017માં અમદાવાદ જિલ્લાના સરોડા ગામની 13 મહિલાઓ સહિત જીગ્નેશ મેવાણી, તેના તત્કાલિન સહયોગી રાકેશ માહેરિયા અને અન્ય 29 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 



શું હતો સમગ્ર મામલો? 

આ કેસની વાત કરીએ તો 11 જાન્યુઆરી, 2017ના દિવસે જીગ્નેશ મેવાણી અન્ય વિરોધીઓ સાથે ટ્રેનના એન્જિન પર ચઢી ગયા હતા અને રેલ્વે ટ્રેક પર સૂઈને ટ્રેનને 20 મિનિટ માટે રોકી દીધી હતી.જેને લઈ વિરોધ કરવામાં આવતો હતો તે વાત દલિતોના જમીન બાબતની હતી. જમીન મુદ્દે જીગ્નેશ મેવાણી સહિત લોકોએ વિરોધ કર્યો હતો. IPC કલમ 143,147 149, 332 કલમ, તથા 120B તેમજ રેલવે અધિનિયમની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટના નિર્ણય પછી શું કહ્યું જિજ્ઞેશ મેવાણીએ? 

આ કેસના નિર્ણય પછી, કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે જમીનનો મુદ્દો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. દલિતોને ફાળવવામાં આવેલી જમીન પર જ્ઞાતિવાદી ગુંડાઓએ વર્ષોથી ગેરકાયદે કબજો જમાવ્યો છે!" આ સંઘર્ષ દરમિયાન ઘણા કેસ નોંધાયા હતા, પરંતુ આજે અમદાવાદની મેટ્રો કોર્ટે અમને અને સંઘર્ષના 31 સાથીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ! દલિત, આદિવાસી અને ઓબીસી સમુદાયોને જમીન અધિકારો આપવાનો સંઘર્ષ ચાલુ રહેશે!”



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.