દેશની પ્રથમ નેઝલ વેક્સિન આ તારીખે થશે લોન્ચ, ભારતની કંપની દ્વારા બનાવામાં આવી છે વેક્સિન


  • Published By :
  • Published Date : 2023-01-22 11:44:56

વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે ભારતમાં કોરોના કેસ ન વધે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. વેક્સિનેશનને લઈ લોકો જાગૃત થઈ રહ્યા છે અને વેક્સિન લેવા જઈ રહ્યા છે. ત્યારે દેશમાં બનેલી પહેલી ઈન્સ્ટ્રાનેજલ કોવિડ વેક્સિન 26 જાન્યુઆરીના રોજ લોન્ચ થવા જઈ રહી છે. આ વેક્સિન ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવી છે. 

Worlds first corona nasal vaccine which can be a booster of any vaccine

26 જાન્યુઆરીએ નેઝલ વેક્સિન થશે લોન્ચ

દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે ભારતમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ ન થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત 26 જાન્યુઆરીથી દેશમાં બનેલી ઈન્સ્ટ્રાનેજલ કોવિડ વેક્સિનને લોન્ચ કરવામાં આવશે. ભોપાલમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં સામેલ થયેલા કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક કૃષ્ણા એલાએ આ અંગેની જાણકારી આપી હતી.  

Gujarat Corona Cases: After 63 Days Gujarat Registered Highest Daily Cases  | Gujarat Corona Cases: ગુજરાતમાં એક્ટિવ કેસ દોઢ મહિનાની ટોચે, જાણો કેટલા  મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ

ડિસેમ્બર મહિનામાં કંપની દ્વારા આ અંગે કરાઈ હતી જાહેરાત 

નેઝલ વેક્સિન લાવવા અંગેની જાહેરાત ભારત બાયોટેક દ્વારા ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. કંપની સરકારને આ વેક્સિન 325 રુપિયા પ્રતિ ડોઝ અને પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરને  પ્રતિ ડોઝે 800 રુપિયાની કિંમતે વેચશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.ઉપરાંત થોડા સમય પહેલા દેશના વેક્સિન ટાસ્ક ફોર્સના પ્રમુખ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ વેક્સિન એવા લોકોને જ આપવામાં આવશે જેમણે હજી બુસ્ટર ડોઝ નથી લીધો.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.