રાજકોટમાં વિવાદ શાંત થયો નથી ત્યાં Sabarkanthaમાં BJPના ઉમેદવારને લઈ શરૂ થઈ ગયો વિરોધ! જાણો ત્યાં ઉમેદવાર બદલવાની માગ કોણે કરી?


  • Published By :
  • Published Date : 2024-04-02 18:57:48

ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ છે જે ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે છેડાયેલો વિવાદ શાંત થયો ત્યાં તો બીજા ઉમેદવારને લઈ વિરોધ છેડાઈ ગયો છે... ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી ગઈ છે. બે બેઠકો માટે ભાજપે ઉમેદવાર બદલ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હતી. સાબરકાંઠાના ઉમેદવારને બદલવામાં આવતા ભાજપના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. હિંમતનગર ભાજપ કાર્યાલયનો તેમણે ઘેરાવો કર્યો હતો. તેમની માગ છે કે સાબરકાંઠામાંથી જાહેર કરવામાં આવેલા આયાતી ઉમેદવારને બદલવામાં આવે... 

સાબરકાંઠામાં થઈ રહ્યો છે ઉમેદવારનો વિરોધ 

ગુજરાતમાં ભાજપને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત બાદ વિરોધનો વંટોળ વધી ગયો છે. રાજકોટ લોકસભા બેઠક પર પરષોત્તમ રૂપાલાને ભાજપે ટિકીટ આપી. ક્ષત્રિય સમાજને લઈ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરી રહ્યા છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. આ વિરોધ હજી શાંત નથી થયો ત્યાં સાબરકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. પરંતુ તે બાદ ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યા અને શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી. શોભનાબેન બારૈયાનો વિરોધ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. 


આ બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર 

વડોદરા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રંજન ભટ્ટને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા અને સાબરકાંઠા પરથી ભીખાજી ઠાકોરને. પરંતુ આ બેઠકોના ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર એક બાદ એક આ બંને ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની વાત કરી. તે બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોને બદલવામાં આવ્યા. વડોદરા બેઠક પર હેમાંગ જોશીને જ્યારે સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા. 


ઉમેદવાર બદલવાની કાર્યકર્તાઓ કરી રહ્યા છે માગ 

સાબરકાંઠા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે. આ બધા વચ્ચે હિંમતનગર જિલ્લા કાર્યાલય પહોંચ્યા હતા અને ઉમેદવારનો વિરોધ કર્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે. આયાતી ઉમેદવારને બદલવાની માગ સાથે પોસ્ટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે. સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઉમેદવાર બદલવાની માગ કરી હતી. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારોનો આવો વિરોધ કરશે તેવું કદાચ ભાજપે સપનામાં નહીં વિચાર્યું હોય...!   



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.