ખંભાળિયાના ભંડારિયા ગામની શાળાનું બાંધકામ નબળું, મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-11-03 22:46:48

ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અનેક શાળાઓમાં નવા ઓરડા બનાવવામાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ રાજ્યની 6 હજાર જેટલી શાળાઓમાં નવું બાંધકામ થઈ રહ્યું છે. જો કે વિદ્યાર્થીઓની શાળાઓના બાંધકામમાં પણ ભ્ર્ષ્ટાચાર થઈ રહ્યો છે. નબળી ગુણવત્તાનું મટેરિયલ વાપરવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાનમાં આવતા સરકારના મંત્રીઓ પણ એક્શનમાં આવ્યા છે. જેમ કે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખંભાળિયાના ભંડારિયા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ ગામની શાળાનું નવું બાંધકામ ચાલી રહ્યું છે તે સ્થળની સરપ્રાઈઝ વિઝીટ લેવા પહોંચેલા શિક્ષણ મંત્રીને બાંધકામ નબળી ગુણવત્તાનું હોવાનું જણાયું હતું.


પ્રફુલ પાનસેરિયાનો બાંધકામ તોડી પાડવા આદેશ


શિક્ષણ રાજ્યમંત્રી  પ્રફુલ પાનસેરિયા દ્વારકાના ખંભાળિયા તાલુકાનાના ભંડારિયા ગામમાં શાળાનું નવું બાંધકામ ચાલતું હતું તેની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા. શિક્ષણ રાજ્યમંત્રીને ભંડારિયા ગામમાં નવ નિર્માણ થઈ રહેલા શિક્ષણ ભવનના કામમાં ક્ષતિ જણાઈ હતી. તેમણે જે જોયું તે દુખદાયક હતું, પ્રફુલ્લ પાનસેરિયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો, શિક્ષણ રાજ્યમંત્રીએ પણ સ્વીકાર્યું કે આવી કામગીરી કોઈ સંજોગોમાં ન ચાલે. આ બાંધકામ તાત્કાલિક જમીનદોસ્ત કરો અને નવેસરથી બાંધકામ કરો. તેમનો સ્પષ્ટ ઈશારો નબળી ગુણવત્તાના મટીરીયલ સામે હતો. પ્રફુલ પાનસેરિયાએ તાકિદ કરી કે તેઓ ફરી આ શાળાની મુલાકાત લેશે. પ્રફુલ પાનસેરિયાએ એવું પણ કહ્યું કે પૂરતા રૂપિયા આપવામાં આવ્યા છે. ભંડારિયા ગામની શાળાના નબળા બાંધકામ અંગે અગાઉ રજૂઆત કરાઈ હતી. પૂરતા રૂપિયા વસૂલ્યા હોવા છતા પણ નબળું બાંધકામ કેમ થયું તે સૌથી મોટો સવાલ છે. 



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.