પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ કહી રહી છે, ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકાર


  • Published By :
  • Published Date : 2022-11-04 14:19:36

ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ પોતાનો પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે જેમ ગુજરાત ગૌરવ યાત્રા કરી હતી તેમ કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા કરી જન-જન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. 1 નવેમ્બરથી કોંગ્રેસે આ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રાનું આયોજન 5 જગ્યાએથી કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે.

5 રૂટ પર ચાલી રહી છે કોંગ્રેસની પરિવર્તન યાત્રા 

ગુજરાતમાં ચૂંટણી જાહેર થતા તમામ પાર્ટીએ પ્રચાર માટે કમરકસી લીધી છે. કોંગ્રેસે મોટા પાયે પ્રચાર ન કરી નાના ગામો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસે પોતાના પ્રચાર માટે રેલી કાઢવાનું આયોજન કર્યું છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં યાત્રા ફરવાની છે.

કોંગ્રેસે લખ્યું - આવ્યો પરિવર્તનનો તહેવાર

કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા 30 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી. પરંતુ મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે તેને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. ઉપરાંત કોંગ્રેસે કેન્ડલ માર્ચ કરી મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી. 1 નવેમ્બરના રોજ આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સતત ટ્વિટર પર યાત્રાના ફોટો અને વીડિયો મૂકી રહી છે. શક્તિસિંહ ગોહિલ પણ આ યાત્રામાં જોડાયા હતા. લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.      




સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.