ચૂંટણી નજીક આવતા ટૂંક સમયમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ કરશે જાહેર


  • Published By :
  • Published Date : 2022-10-25 18:07:41

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. નવેમ્બર અંતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ટૂંક સમયમાં કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારો જાહેર કરી શકે છે. કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરવા સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. ત્યારે સ્ક્રીંનિંગ કમિટીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હાઈકમાન્ડની મોહર લાગ્યા બાદ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. 

ગુજરાતમાં કોંગ્રેસ 25 વર્ષનો વનવાસ પુરો કરવા માટે રણનીતિકાર પ્રશાંત કિશોરની  મદદ લેશે ! – Revoi.in

હાઈકમાન્ડ ઉમેદવારોના નામ પર લગાડશે મોહર

લાભપાંચમની આસપાસ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. કોંગ્રેસ ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. કોંગ્રેસમાંથી કોણ ચૂંટણી લડશે તે અંગે વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસે ઉમેદવારોના નામની પસંદગી માટે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે. જ્યાં ઉમેદવારોના નામો પર મોહર લાગી શકે છે. આ બેઠક મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં મળવાની છે જેમાં જગદીશ ઠાકોર, રઘુ શર્મા સહિત અનેક આગેવાનો હાજર રહેવાના છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.