જૂનાગઢના બાલાગામથી પંચાળાના નવા નક્કોર રોડની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ! સાચે વરસાદે કરી રસ્તાની આવી હાલત?


  • Published By :
  • Published Date : 2023-07-26 11:21:23

રાજ્યમાં ખરાબ રોડ રસ્તાની અનેક વખત વાતો કરવામાં આવી હતી. પહેલાનો સમય અલગ હતો જ્યારે વર્ષો સુધી રસ્તો સારી હાલતમાં ટકતો હતો. આપણી સામે એવા અનેક બિલ્ડીંગો છે જે આપણી ધરોહરને સાચવીને બેઠા છે. ઘણા વર્ષો વિતી ગયા હોય પરંતુ બિલ્ડીંગ આજે પણ અડીખમ દેખાતી હોય છે. જેને જોઈ અનેક વખત એવો વિચાર આવતો હોય કે રાજાના સમયમાં બનેલા રસ્તાઓ, ઈમારતો કેવી રીતે આટલા વર્ષો પછી પણ એવી જ પરિસ્થિતિમાં છે જે પરિસ્થિતિમાં તે સમયે હશે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણે જૂનાગઢથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તાની હાલત એકદમ ખખડધજ થઈ ગઈ છે. અમદાવાદ, સુરત સહિતના મહાનગરોમાં પણ રસ્તાઓની હાલત એકદમ ખરાબ છે. તો ગામડાઓની વાત જ ક્યા કરવી? 

રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવે છે હલકી ગુણવત્તાવાળો સામાન

છેલ્લા ઘણા સમયથી અમે ખરાબ રોડ રસ્તાઓની વાતો કરતા હોઈએ છીએ. કોઈ વખત બ્રિજની હોય છે તો કોઈ વખત રસ્તા પર પડતા ખાડાની . એમાં પણ ભૂવાઓને કેવી રીતે ભૂલી શકાય. રસ્તાઓ બનશે અને થોડા સમય બાદ જ રસ્તા પર ખાડા દેખાવવાના શરૂ થઈ જશે, રસ્તા પર પાથરવામાં આવતા ડામર પણ એક હાથથી ઉખડતા હોવાના વીડિયો આપણી સામે આવ્યા છે. અનેક વખત એવા પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે કે નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તાવાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે, અવારનવાર એવી તસવીરો પણ સામે આવતા હોય છે. 


બાલાગામથી પંચાળા વચ્ચેનો રસ્તાની છે અતિબિસ્માર હાલત 

ત્યારે ફરી એક વખત રસ્તાની વાત કરવી છે. આ વખતે જૂનાગઢથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. બાલાગામથી પંચાળા વચ્ચેના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રસ્તાને જોતા એવું લાગે જ નહીં કે આ રસ્તો એક વર્ષ પહેલા જ અવરજવર માટે ખુલ્લો મૂકાયો છે. જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હાલ વરસાદને કારણે રસ્તાની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે, પરંતુ ત્યાંના સ્થાનિકોનું તો કંઈક અલગ જ કહેવું છે. સ્થાનિક કહી રહ્યા છે કે આ રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. 


સામાન્ય વરસાદ થતાં જ થાય છે રસ્તાઓનું ધોવાણ

એક તરફ ખરાબ રસ્તાને કારણે લોકો પરેશાન છે, તો બીજી તરફ રસ્તાની હાલત ખુબ સરસ છે તેવા નિવેદનો મંત્રીઓ દ્વારા, સત્તાધારી પક્ષના પ્રવક્તા દ્વારા આપવામાં આવતા હોય છે. પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. પહેલા તો રસ્તો બનાવવામાં આવે છે, પછી થોડા સમય બાદ રસ્તાને ખોદવામાં આવે છે. રસ્તો ખોદાયા બાદ તેને વ્યવસ્થિત રીતે પૂરવામાં નથી આવતો જેને લઈ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે. ખરાબ રસ્તાને કારણે વાહનચાલકને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, ઉપરાંત વાહનને પણ નુકસાન થાય છે.      



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!