Ahmedabadની સ્થિતિ પણ અંતરિયાળ વિસ્તાર જેવી! તહેવારો પર ગામડે જવા શ્રમિકો કરતા જોખમી મુસાફરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-31 09:28:34

જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે ગામડાથી એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં ઘેંટા બકરાની જેમ લોકોને ગાડીમાં બેસાડવામાં આવે છે. વધારે વાહનોની સુવિધા ન હોવાને કારણે અનેક વખત લોકો મોતની મુસાફરી કરવા માટે મજબૂર બનતા હોય છે. રોજગાર મેળવવા ગામડાથી લોકો શહેરમાં આવતા હોય છે, મજૂરી કરી પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. તહેવારો દરમિયાન શ્રમિકો પોતાના ગામડે જતા હોય છે. ત્યારે એક વીડિયો અમદાવાદના કાલુપુરથી સામે આવ્યા છે જેમાં એક જ ગાડીમાં અસંખ્ય લોકો મુસાફરી કરી રહ્યા છે. કોઈ ગાડીની પાછળ લટકીને મુસાફરી કરી રહ્યું છે તો કોઈ ગાડીના છાપરા પર બેસી જીવને જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યું છે.

અમદાવાદમાં મજૂરો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા  

અનેક વખત અમે અંતરિયાળ વિસ્તારની સ્થિતિ અંગે વાતો કરતા હોઈએ છે. કેવી રીતે ત્યાંના લોકો પીડામાં પોતાનું જીવન વિતાવતા હોય છે. સંઘર્ષો ભરેલું તેમનું જીવન હોય છે. વિકાસના નામે ગામડામાં રહેતા લોકોને સારો રસ્તો નથી મળતો, હોસ્પિટલો નથી મળતા, વીજળી નથી મળતી. પરંતુ અમદાવાદને તો વિકસીત શહેર માનવામાં આવે છે. અમદાવાદમાં અનેક સુખ સુવિધાઓ છે. પરંતુ અમદાવાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે આપણને વિચારવા મજબૂર કરી દેશે કે શું સાચે આને વિકાસ કહેવાય, એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ગાડીમાં અનેક લોકો મુસાફરી કરી રહ્યા છે. એક જાગૃત નાગરીક દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો છે અને ડ્રાઈવરને આ અંગે પ્રશ્ન કરી રહ્યા છે.   

શું પોલીસને આટલી મોટી ગાડી નહીં દેખાઈ હોય?  

પ્રશ્ન પોલીસની કામગીરી પર પણ ઉભા થાય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર દેખાય છે અથવા તો વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતા લોકો દેખાય છે ત્યારે શું પોલીસને આ મોટી ગાડી નહીં દેખાઈ હોય? ગાડી પર લટકતા, બેઠેલા લોકો નહીં દેખાયા હોય? કાલુપુરની આજુબાજુના આ દ્રશ્યો છે તેવું સામે આવ્યું છે. કાલુપુર એવી જગ્યા છે જ્યાં પોલીસનો કાફલો મોટા પાયે તૈનાત હોય છે. અનેક વખત કાલુપુરની આજુબાજુ ચેકિંગ કરવામાં આવતું હોય છે અને દંડ ફટકારવામાં આવતો હોય છે. ત્યારે શું આટલી મોટી ગાડી અને તેની પર જોખમી સવારી કરી રહેલા લોકો પોલીસને નહીં દેખાતા હોય? જો જાગૃત નાગરિકને દેખાય છે તો શું કામ પોલીસને નથી દેખાતી? જે કામ પોલીસવાળાને કરવાનું હોય તે કામ નાગરિકો કરી રહ્યા છે. 


તહેવારોની સિઝનમાં અમદાવાદમાં પણ જોવા મળે છે આવા દ્રશ્યો!   

રક્ષાબંધનના તહેવારમાં રક્ષા માટે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. ત્યારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા જે લોકો જોખમી મુસાફરી કરી રહ્યા છે તેમને સુરક્ષાની જરૂર નથી? ગામડાઓની પરિસ્થિતિ તો નથી બદલાઈ પરંતુ અમદાવાદની પરિસ્થિતિ જરૂર બદલાઈ છે. આવા કિસ્સાઓ અવાર નવાર બનતા હશે પરંતુ ધ્યાનમાં કદાચ નહીં આવતા હોય. હોળી વખતે તો આવા દ્રશ્યો સામે આવતા હોય છે, તહેવારની ઉજવણી કરવા મજૂરો પોતાના ગામડે જાય છે. 


જે વાહન મળે તેમાં મુસાફરી કરવા મજૂરો મજબૂર બનતા હોય છે 

બસની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે જે વાહન મળે તેમાં બેસી તે પોતાના ગામડે જવા માગે છે. એવી રીતે તે ગામડે જાય છે જાણે તેમના જીવનની કોઈ કિંમત નથી. માણસના જીવની કિંમત એ કયા વિસ્તારમાંથી આવે છે, તેની પાસે કેટલા પૈસા છે તેની ઉપરથી નથી થતી. પરંતુ જ્યારે દરેક વ્યક્તિને ગરિમા પૂર્ણ જીવન જીવવાનો અધિકાર મળે છે ત્યારે તેને આપણે માનવ અધિકાર કહીએ છીએ. 



આ લોકોના જીવન પણ એટલા જ કિંમતી છે...  

ગાડીના ડ્રાઈવરને તો રોકીને પૂછી લઈશું કે શા માટે આટલા લોકોને બેસાડી મુસાફરી કરાવી રહ્યો છે પરંતુ એ પોલીસવાળાને ક્યારે પૂછીશું જેમની નજરોની સામેથી આટલા માણસો ભરેલી ગાડીઓ પસાર થઈ રહી છે. આ પ્રશ્ન બહુ ગંભીર છે કારણ કે જે લોકો આવી જોખમી મુસાફરી કરી રહ્યા છે તેમના જીવનની એટલી જ કિંમત છે જેટલી કિંમત કોઈ મોટા માણસની હોય છે. જીવનનું મૂલ્ય દરેક માણસ માટે સરખું હોય છે, પોતાનું જીવન દરેક માનવીને વ્હાલું હોય છે. જો આવી રીતે મુસાફરી કરી રહેલા લોકોનો અકસ્માત થાય તો જવાબદાર કોણ?   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.