Ahmedabadની સ્થિતિ પણ અંતરિયાળ વિસ્તાર જેવી! તહેવારો પર ગામડે જવા શ્રમિકો કરતા જોખમી મુસાફરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-31 09:28:34

જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે ગામડાથી એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં ઘેંટા બકરાની જેમ લોકોને ગાડીમાં બેસાડવામાં આવે છે. વધારે વાહનોની સુવિધા ન હોવાને કારણે અનેક વખત લોકો મોતની મુસાફરી કરવા માટે મજબૂર બનતા હોય છે. રોજગાર મેળવવા ગામડાથી લોકો શહેરમાં આવતા હોય છે, મજૂરી કરી પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. તહેવારો દરમિયાન શ્રમિકો પોતાના ગામડે જતા હોય છે. ત્યારે એક વીડિયો અમદાવાદના કાલુપુરથી સામે આવ્યા છે જેમાં એક જ ગાડીમાં અસંખ્ય લોકો મુસાફરી કરી રહ્યા છે. કોઈ ગાડીની પાછળ લટકીને મુસાફરી કરી રહ્યું છે તો કોઈ ગાડીના છાપરા પર બેસી જીવને જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યું છે.

અમદાવાદમાં મજૂરો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા  

અનેક વખત અમે અંતરિયાળ વિસ્તારની સ્થિતિ અંગે વાતો કરતા હોઈએ છે. કેવી રીતે ત્યાંના લોકો પીડામાં પોતાનું જીવન વિતાવતા હોય છે. સંઘર્ષો ભરેલું તેમનું જીવન હોય છે. વિકાસના નામે ગામડામાં રહેતા લોકોને સારો રસ્તો નથી મળતો, હોસ્પિટલો નથી મળતા, વીજળી નથી મળતી. પરંતુ અમદાવાદને તો વિકસીત શહેર માનવામાં આવે છે. અમદાવાદમાં અનેક સુખ સુવિધાઓ છે. પરંતુ અમદાવાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે આપણને વિચારવા મજબૂર કરી દેશે કે શું સાચે આને વિકાસ કહેવાય, એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ગાડીમાં અનેક લોકો મુસાફરી કરી રહ્યા છે. એક જાગૃત નાગરીક દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો છે અને ડ્રાઈવરને આ અંગે પ્રશ્ન કરી રહ્યા છે.   

શું પોલીસને આટલી મોટી ગાડી નહીં દેખાઈ હોય?  

પ્રશ્ન પોલીસની કામગીરી પર પણ ઉભા થાય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર દેખાય છે અથવા તો વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતા લોકો દેખાય છે ત્યારે શું પોલીસને આ મોટી ગાડી નહીં દેખાઈ હોય? ગાડી પર લટકતા, બેઠેલા લોકો નહીં દેખાયા હોય? કાલુપુરની આજુબાજુના આ દ્રશ્યો છે તેવું સામે આવ્યું છે. કાલુપુર એવી જગ્યા છે જ્યાં પોલીસનો કાફલો મોટા પાયે તૈનાત હોય છે. અનેક વખત કાલુપુરની આજુબાજુ ચેકિંગ કરવામાં આવતું હોય છે અને દંડ ફટકારવામાં આવતો હોય છે. ત્યારે શું આટલી મોટી ગાડી અને તેની પર જોખમી સવારી કરી રહેલા લોકો પોલીસને નહીં દેખાતા હોય? જો જાગૃત નાગરિકને દેખાય છે તો શું કામ પોલીસને નથી દેખાતી? જે કામ પોલીસવાળાને કરવાનું હોય તે કામ નાગરિકો કરી રહ્યા છે. 


તહેવારોની સિઝનમાં અમદાવાદમાં પણ જોવા મળે છે આવા દ્રશ્યો!   

રક્ષાબંધનના તહેવારમાં રક્ષા માટે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. ત્યારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા જે લોકો જોખમી મુસાફરી કરી રહ્યા છે તેમને સુરક્ષાની જરૂર નથી? ગામડાઓની પરિસ્થિતિ તો નથી બદલાઈ પરંતુ અમદાવાદની પરિસ્થિતિ જરૂર બદલાઈ છે. આવા કિસ્સાઓ અવાર નવાર બનતા હશે પરંતુ ધ્યાનમાં કદાચ નહીં આવતા હોય. હોળી વખતે તો આવા દ્રશ્યો સામે આવતા હોય છે, તહેવારની ઉજવણી કરવા મજૂરો પોતાના ગામડે જાય છે. 


જે વાહન મળે તેમાં મુસાફરી કરવા મજૂરો મજબૂર બનતા હોય છે 

બસની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે જે વાહન મળે તેમાં બેસી તે પોતાના ગામડે જવા માગે છે. એવી રીતે તે ગામડે જાય છે જાણે તેમના જીવનની કોઈ કિંમત નથી. માણસના જીવની કિંમત એ કયા વિસ્તારમાંથી આવે છે, તેની પાસે કેટલા પૈસા છે તેની ઉપરથી નથી થતી. પરંતુ જ્યારે દરેક વ્યક્તિને ગરિમા પૂર્ણ જીવન જીવવાનો અધિકાર મળે છે ત્યારે તેને આપણે માનવ અધિકાર કહીએ છીએ. 



આ લોકોના જીવન પણ એટલા જ કિંમતી છે...  

ગાડીના ડ્રાઈવરને તો રોકીને પૂછી લઈશું કે શા માટે આટલા લોકોને બેસાડી મુસાફરી કરાવી રહ્યો છે પરંતુ એ પોલીસવાળાને ક્યારે પૂછીશું જેમની નજરોની સામેથી આટલા માણસો ભરેલી ગાડીઓ પસાર થઈ રહી છે. આ પ્રશ્ન બહુ ગંભીર છે કારણ કે જે લોકો આવી જોખમી મુસાફરી કરી રહ્યા છે તેમના જીવનની એટલી જ કિંમત છે જેટલી કિંમત કોઈ મોટા માણસની હોય છે. જીવનનું મૂલ્ય દરેક માણસ માટે સરખું હોય છે, પોતાનું જીવન દરેક માનવીને વ્હાલું હોય છે. જો આવી રીતે મુસાફરી કરી રહેલા લોકોનો અકસ્માત થાય તો જવાબદાર કોણ?   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!