કોંગ્રેસમાંથી લડવા ઈચ્છુક ઉમેદવારોની સાથે કમિટી કરશે ચર્ચા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 11:34:25

ગુજરાત વિધાનસભા નજીક આવતા કોંગ્રેસ ફરી સક્રીય થયું છે. ત્યારે કોંગ્રેસમાં હલચલ તેજ બની છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના બાયોડેટા મંગાવ્યા છે. ઈચ્છુક ઉમેદવારોના ઈન્ટરવ્યૂ કમિટી દ્વારા લેવામાં આવશે. તેમજ તેમનું વિઝન પણ જાણવામાં આવશે.

કમિટી દ્વારા ઉમેદવારોના લેવાશે ઈન્ટરવ્યુ

કોંગ્રેસમાં પ્રથમ વખત ટિકિટ આપત પહેલા ઉમેદવારો સાથે વાતચીત કરવાની પહેલ શરૂ કરવામાં આવી છે. આ વાતચીત એક પ્રકારના ઈન્ટરવ્યું જેવું જ હશે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો આજથી કોંગ્રેસમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની રચના કરાઈ છે. ત્રણ જિલ્લા વચ્ચે બનાવેલી આ કમિટીમાં પ્રદેશ પ્રમુખ, પ્રમુખ સહિતના વિવિધ આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારો સાથે વાતચીત થયા બાદ કોંગ્રસ પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે.

Congress unit in Gujarat backs Rahul Gandhi for post of party president -  India News

પસંદગી કરાયેલા નામોની યાદી હાઈ કમાન્ડને મોકલાશે 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈ અનેક દાવેદારો ટિકીટની માગીણી કરી રહ્યા છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ nsuiના અનેક નેતાઓએ ટિકિટના માગ કરી છે. ઉપરાંત અનેક નેતાઓ પણ ટિકીટ માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે માટે આ વખતે ઈન્ટરવ્યુથી પસંદગી કરવામાં આવશે. કમિટી દ્વારા પસંદ થયેલા નામો હાઈ કમાન્ડને મોકલવામાં આવશે.

Congress Working Committee Meeting: PM Narendra Modi Dividing People,  Playing With Their Emotions, Says Congress

હાઈ કમાન્ડ ઉમેદવારોના નામ કરશે ફાઈનલ 

પસંદ કરાયેલા ઉમેદવારો અંગેની માહિતી એકત્ર કરવામાં આવશે. ઉપરાંત પોતાના મતવિસ્તારમાં તેમનો કેટલો પ્રભાવ છે તે જોવામાં આવશે. પોતાના પક્ષને ઉમેદવારો જીત અપાવી શકશે કે નહીં તે પણ કમિટી દ્વારા જોવામાં આવશે. હાઈ કમાન્ડ મોકલાયેલા નામોમાંથી પસંદગી કરી ઉમેદવારોનું લિસ્ટ મોકલાશે. જે બાદ કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું નામ જાહેર કરશે.    



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.