AMCના પદાધિકારીઓની ઓફિસ બહાર લાગતા નેમ પ્લેટના કલરમાં કરાયો બદલાવ! જાણો શું છે સમગ્ર મામલો અને આ મામલે શું કહ્યું મેયરે?


  • Published By :
  • Published Date : 2023-09-16 11:15:46

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગાવવામાં આવતી નેમ પ્લેટનો કલર બદલી દેવામાં આવ્યો છે. પહેલા જે નેમ પ્લેટ પર વાદળી રંગ દેખાતો હતો હવે તેને બદલીને ભગવો રંગ કરી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય હોદ્દેદારોની ઓફિસની બહાર કેસરી કલરની નેમ પ્લેટ લગાવવામાં આવી છે. 


નેમ પ્લેટનો વાદળી કલર બદલીને કરાયો કેસરી કલર  

થોડા દિવસો પહેલા રાજ્યના અનેક મહાનગરોમાં નવા મેયરની, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. અમદાવાદ શહેરને પોતાના પ્રથમ નાગરિક મળ્યા હતા. મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે જતીન પટેલ ડેપ્યુટી મેયર બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની ઓફિસ બહાર નેમ પ્લેટ અને ફ્લોર પર દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. તે નેમ પ્લેટ પર પહેલા વાદળી કલર હતો જેને બદલી દેવામાં આવ્યો છે. વાદળી કલરને બદલીને હવે ભગવો કલર નેમ પ્લેટ પર કરી દેવામાં આવ્યો છે. નેમ પ્લેટ પર ભગવો કલર કરવામાં આવતા તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 


શું નેમ પ્લેટના કલરને લઈ થઈ શકે છે વિવાદ? 

જે જગ્યાની નંબર પ્લેટ બદલવામાં આવી છે તે જગ્યા પર નાગરિકો પોતાની સમસ્યાને લઈને આવતા હોય છે. ઓફિસમાં વિપક્ષી નેતાઓ પણ આવતા હોય છે. ત્યારે નંબર પ્લેટનો કલર બદલી લેવામાં આવતા ચર્ચાઓ થવા લાગી છે. જ્યારે નેમ પ્લેટના રંગ વિશે મેયરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 'કેસરી રંગ એ શોર્ય અને વીરતાનું પ્રતિક છે. સાથે અમારી ભારતીય જનતા પાર્ટીનો પણ રંગ ભગવો છે. જોકે, નેમ પ્લેટનો કલર બદલી નાખવાનો મુદ્દો કોઈ ચર્ચાનો મુદ્દો નથી.' આ નિવેદન મેયર પ્રતિભા જૈન દ્વારા આપવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે શું નેમ પ્લેટના કલરમાં બદલાવ આવવાથી રાજકારણ શરૂ થાય છે?   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.