જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાને લઈ તંત્ર સજ્જ, કલેક્ટરે યોજી બેઠક


  • Published By :
  • Published Date : 2023-11-17 17:30:41

જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થતી લીલી પરિક્રમાની શ્રધ્ધાળુંઓ કાગડોળે રાહ જોતા હોય છે. દિવાળી બાદ જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેનું ધાર્મિક મહત્વ પણ અનેરું છે. કારતક સુદ અગિયારસથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અને પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ઉચ્ચ અધિકારીો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્‍ય, પરિવહન સહિત મુખ્‍ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.


13 જેટલી સમિતિની રચના 


જૂનાગઢમાં આગામી તા. 23 નવેમ્બરથી શરૂ થનાર લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે પરિક્રમા અનુંસંધાને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતું કે, લીલી પરિક્રમાના અનુસંધાનમાં 13 જેટલી સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ કાયદો અને વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખશે. આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા પણ રૂટનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત તૈનાત સ્ટાફને CPRની તાલીમ અપાશે, જેથી વધતાં હાર્ટ એટેકના કિસ્સામાં સરળતા રહે. તો બીજી તરફ, લોકોના આરોગ્યની સુવિધા માટે 108 ઈમરજન્સીની ટીમ પણ તૈનાત કરાશે. લીલી પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવશે. લીલી પરિક્રમામાં રૂટ ઉપર ગંદકી ન થાય તેનું સર્વે લોકો ધ્યાન રાખે તેવી પણ જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ અપીલ કરી હતી.


દામોદર કુંડમાં સ્નાન સાથે શરૂ થાય છે પરિક્રમા


ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાંભાવિકો  એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. ગિરનારની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર ચાલે છે. પરિક્રમા માર્ગ પર વિવિધ ઉત્તરા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચો માલ લાવે છે અને જંગલમાં જ રસોઇ કરીને વન ભોજન કર્યાનો આનંદ પણ માણે છે.


લીલી પરિક્રમાનું શું છે ધાર્મિક મહત્વ?


લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે, કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મળવ્યાનો અનુભવ કરે છે. સતયુગમાં દેવી દેવતાઓએ પણ ગીરનારની પરિક્રમા કર્યોનો ઉલ્લેખ છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ લીલી પરિક્રમા કરી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!