બાંદ્રાથી જોધપૂર જતી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા


  • Published By :
  • Published Date : 2023-01-02 10:19:53

રાજસ્થાનના પાલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સોમવાર સવારે સૂર્યનગરી એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે પરંતુ આ ઘટનામાં મળતી માહિતી અનુસાર કોઈ વ્યક્તિના મોત નથી થયા. આ ઘટના રજકિયાવાસ-બોમદરાની વચ્ચે સર્જાઈ હતી. આ ટ્રેન બાંદ્રાથી જોધપુર જઈ રહી હતી.


ટ્રેનના 8 ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા બની દુર્ઘટના 

બાંદ્રાથી જોધપૂર જતી સૂર્યનગરી એક્સપ્રેસ સાથે આ દુર્ઘટના ઘટી છે. ઉત્તર પશ્ચિમ રેલ્વે વિભાગ અનુસાર આ ઘટના 3 વાગ્યેને 27 મિનીટ પર થઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના જણાવ્યા અનુસાર 8 ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા કંપન સર્જાયું હતું. આ ઘટનાને કારણે ટ્રેન 2-3 મિનીટ રોકાઈ હતી. ઘટનાને જોવા નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે 8 સ્લીપર કોચ પાટા પરથી નીચે ઉતરી ગયા છે. થોડા સમયની અંદર એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી અને ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.