ઉપરી અધિકારીઓના ત્રાસથી આ મામલતદાર કચેરીના ક્લાર્કે કરી આત્મહત્યા! મરતા પહેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં કરી હતી અરજી


  • Published By :
  • Published Date : 2023-03-18 18:41:01

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક કારણોસર લોકો આપઘાત કરી જીવન ટૂંકાવવાનો નિર્ણય લેતા હોય છે. આર્થિક કારણોસર, પ્રેમ પ્રકરણ, માતા-પિતાના ઠપકાને કારણે આત્મહત્યા લોકો કરી રહ્યા છે. ત્યારે બાલાસિનોરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઉપરી અને સાથી કર્મચારીઓના ત્રાસથી ક્લાર્કની ફરજ બજાવતા અલ્પેશ માળીએ આત્મહત્યા કરી લીધી હતી. 29 જાન્યુઆરીના રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ ઉપરી અધિકારીના ત્રાસને લઈ અલ્પેશ માળીએ પોતાને પડતી મુશ્કેલીને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે.


જાતિને લઈ ઉપરી અધિકારી કરતા હતા હેરાન

આપણે જ્યાં કામ કરતા હોઈએ ત્યાં આપણને માનથી બોલાવામાં આવે તેવી દરેકને ઈચ્છા હોય છે. પરંતુ આપણી સમક્ષ એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેમાં ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને જાતિને લઈ હેરાન કરવામાં આવતા હોય છે. જાતિને લઈ કમેન્ટ કરવામાં આવતી હોય છે અથવા તો જાતિને લઈ હેરાન કરવામાં આવતા હોય છે. ત્યારે અનુસૂચિત જાતિના હોવાને કારણે કડાણા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવતા કર્મીને હેરાન કરાતા હતા.   


કામ વગર અનેક વખત આપવામાં આવી હતી નોટીસ  

આપઘાત કરનારે મુખ્યમંત્રી કાર્યાલયને પણ આ અંગે જાણ કરી હતી. અરજીમાં લખવામાં આવ્યું હતું કે કડાણા મામલતદાર કચેરી ખાતે અમારા ઉપરી અધિકારી નાયબ મામલદાર દ્વારા તેમને કારણો વગર નોટીસ આપી હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમજ જાતિના આધારે તેમને સંબોધિત કરવામાં આવતા હતા. ઉપરાંત સંતરામપુરના પ્રાંત અધિકારી પણ તેમને કારણ વગર હેરાન કરે છે અને કામ વગરની નોટીસ આપવામાં આવે છે. કચેરી ખાતે બોલાવી તેમની પાસે અંગત કામો કરાવતા હતા અને જો કામ નહીં કરવામાં આવે તો કરિયર ખતમ કરવાની ધમકી પણ આપતા હતા. તે સિવાય બીજા અનેક કર્મચારીઓને પણ હેરાન કરવામાં આવે છે. ગ્રાન્ટ હોવા છતાંય અનેક મહિનાઓ સુધી પગાર આપવામાં આવતો નથી. કચેરીમાં ઉઘતાઈ ભર્યું વર્તન પણ કરવામાં આવે છે. ત્યારે આવા કર્મચારી વિરુદ્ધ પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. 


જનસંપર્ક કાર્યાલયમાં આ અંગે કરી હતી રજૂઆત 

મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલયમાં આ અરજી કરવામાં આવી હતી. તેના થોડા દિવસો બાદ જ તેમણે આત્મહત્યા જેવું પગલું ભરી લીધું હતું. અરજીમાં લખવામાં આવ્યું હતું કે જો હું કંઈ પણ પગલું ભરું તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપરોક્ત અધિકારીની રહેશે. અલ્પેશ માળીએ આત્મહત્યા કરી તેના ઘણા સમય બાદ આ અરજી સામે આવી હતી. પરંતુ આટલો સમય વિતી ગયો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.         




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!