રિક્ષાવાળા બાદ સફાઈકર્મીએ કેજરીવાલને આપ્યું આમંત્રણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 19:44:28



દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજ્યો હતો. સફાઈ કામદારો સાથે ટાઉનહોલ કરવા દરમિયાન એક સફાઈ કર્મચારીને અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. 


કેજરીવાલના ઘરે જવા કાલે રવાના થશે સફાઈકર્મી

આવતીકાલે હર્ષ નામના સફાઈ કર્મચારીનો પૂરો પરિવાર દિલ્લી જવા રવાના થશે. સફાઈ કર્મચારીના પૂરા પરિવારના આવવા જવાનો ખર્ચ અરવિંદ કેજરીવાલ ઉઠાવશે. હર્ષનો પરિવાર દિલ્લીમાં પંજાબ ભવનમાં રહેશે. 


પહેલા સફાઈકર્મચારીએ આપ્યું હતું આમંત્રણ 

અગાઉ અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે હતા ત્યારે રિક્ષાવાળાએ અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. બાદમાં અરવિંદ કેજરીવાલ રિક્ષાવાળાને ત્યાં જમવા માટે ગયા હતા. હવે સફાઈ કર્મચારીએ અરવિંદ કેજરીવાલને પોતાને ત્યાં જમવા માટે આમંત્રણ આપ્યું હતું. જ્યારે અરવિંદ કેજરીવાલે તેને કહ્યું હતું કે, પહેલા તમે આવો પછી હું તમારે ત્યાં જમવા માટે આવીશ. 


મધ્ય વર્ગને આકર્ષવા માગે છે અરવિંદ કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પંજાબમાં પણ મોબાઈલ રીપેર કરવાવાળાએ જમવા માટે આમંત્રણ આપ્યું હતું અને અરવિંદ કેજરીવાલ ભગવંત માન સાથે મોબાઈલ રીપેર કરવાવાળાને ત્યાં જમવા માટે ગયા હતા. મોબાઈલવાળો સામાન્ય ઘરનો માણસ હતો આથી આમ આદમી પાર્ટી પંજાબના મધ્ય વર્ગના લોકોને આકર્ષવામાં સફળ રહી હતી. ગુજરાતમાં પણ અગાઉની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલ રિક્ષાવાળાને ઘરે જમવા ગયા હતા અને હવે સફાઈકર્મચારીને ત્યાં જમવા માટે તેમને આમંત્રણ મળ્યું છે. આથી કહી શકાય કે અરવિંદ કેજરીવાલ આવું કરીને મધ્યમ વર્ગના લોકોને આકર્ષી રહ્યા છે.  

    



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.