રિક્ષાવાળા બાદ સફાઈકર્મીએ કેજરીવાલને આપ્યું આમંત્રણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 19:44:28



દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજ્યો હતો. સફાઈ કામદારો સાથે ટાઉનહોલ કરવા દરમિયાન એક સફાઈ કર્મચારીને અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. 


કેજરીવાલના ઘરે જવા કાલે રવાના થશે સફાઈકર્મી

આવતીકાલે હર્ષ નામના સફાઈ કર્મચારીનો પૂરો પરિવાર દિલ્લી જવા રવાના થશે. સફાઈ કર્મચારીના પૂરા પરિવારના આવવા જવાનો ખર્ચ અરવિંદ કેજરીવાલ ઉઠાવશે. હર્ષનો પરિવાર દિલ્લીમાં પંજાબ ભવનમાં રહેશે. 


પહેલા સફાઈકર્મચારીએ આપ્યું હતું આમંત્રણ 

અગાઉ અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે હતા ત્યારે રિક્ષાવાળાએ અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. બાદમાં અરવિંદ કેજરીવાલ રિક્ષાવાળાને ત્યાં જમવા માટે ગયા હતા. હવે સફાઈ કર્મચારીએ અરવિંદ કેજરીવાલને પોતાને ત્યાં જમવા માટે આમંત્રણ આપ્યું હતું. જ્યારે અરવિંદ કેજરીવાલે તેને કહ્યું હતું કે, પહેલા તમે આવો પછી હું તમારે ત્યાં જમવા માટે આવીશ. 


મધ્ય વર્ગને આકર્ષવા માગે છે અરવિંદ કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પંજાબમાં પણ મોબાઈલ રીપેર કરવાવાળાએ જમવા માટે આમંત્રણ આપ્યું હતું અને અરવિંદ કેજરીવાલ ભગવંત માન સાથે મોબાઈલ રીપેર કરવાવાળાને ત્યાં જમવા માટે ગયા હતા. મોબાઈલવાળો સામાન્ય ઘરનો માણસ હતો આથી આમ આદમી પાર્ટી પંજાબના મધ્ય વર્ગના લોકોને આકર્ષવામાં સફળ રહી હતી. ગુજરાતમાં પણ અગાઉની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલ રિક્ષાવાળાને ઘરે જમવા ગયા હતા અને હવે સફાઈકર્મચારીને ત્યાં જમવા માટે તેમને આમંત્રણ મળ્યું છે. આથી કહી શકાય કે અરવિંદ કેજરીવાલ આવું કરીને મધ્યમ વર્ગના લોકોને આકર્ષી રહ્યા છે.  

    



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.