વધતા કોરોના કેસને દબાવવા ચીન સરકારે લીધો આ નિર્ણય, નહીં જાહેર કરવામાં આવે દૈનિક કેસની સંખ્યા


  • Published By :
  • Published Date : 2022-12-25 17:21:53

ચીનમાં કોરોના બેકાબૂ બન્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં કોરોના કેસ વધતા સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યાપી ઉઠી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. હાલત એકદમ ખરાબ થઈ રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારે એક નિર્ણય કર્યો છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. ચીનના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હવેથી દૈનિક કેસોની સંખ્યા જાહેર કરવામાં નહીં આવે. 


દૈનિક આંકડા જાહેર કરવામાં નહીં આવે 

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન, જાપાન, થાઈલેન્ડ જેવા દેશોમાં કોરોનાને લઈ હાહાકાર મચ્યો છે. વિશ્વના દેશોમાં કોરોના સંક્રમણ વધતા ચિંતામાં વધારો થયો છે. ચીનમાં એચલા બધા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેને કારણે બેડ ખૂટી રહ્યા છે. દવાઓની કમી પડી રહી છે. ચીનમાં કોરોના સંક્રમણ વધતા ચીન સરકારે એક નિર્ણય કર્યો છે. વધતા કોરોના સંક્રમણને છૂપાવા પ્રયાસ થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. આરોગ્ય મંત્રાલય હવેથી કોરોનાના આંકડા જાહેર નહીં કરે. 


આવનાર સમયમાં વણસી શકે છે ચીનમાં પરિસ્થિતિ

ચીનમાં જે રીતના કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે અંદાજથી આગામી સમયમાં કરોડો લોકો કોરોના સંક્રમિત થઈ જશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં જગ્યા ન હોવાને કારણે લાખો લોકો મોતને ભેટી જશે. દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં થાય. ચીનમાં વધતા કોરોનાને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી રહી છે. અનેક દેશોએ પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરી દીધી હતી.                     




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.