વધતા કોરોના કેસને દબાવવા ચીન સરકારે લીધો આ નિર્ણય, નહીં જાહેર કરવામાં આવે દૈનિક કેસની સંખ્યા


  • Published By :
  • Published Date : 2022-12-25 17:21:53

ચીનમાં કોરોના બેકાબૂ બન્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં કોરોના કેસ વધતા સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યાપી ઉઠી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. હાલત એકદમ ખરાબ થઈ રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારે એક નિર્ણય કર્યો છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. ચીનના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હવેથી દૈનિક કેસોની સંખ્યા જાહેર કરવામાં નહીં આવે. 


દૈનિક આંકડા જાહેર કરવામાં નહીં આવે 

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન, જાપાન, થાઈલેન્ડ જેવા દેશોમાં કોરોનાને લઈ હાહાકાર મચ્યો છે. વિશ્વના દેશોમાં કોરોના સંક્રમણ વધતા ચિંતામાં વધારો થયો છે. ચીનમાં એચલા બધા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેને કારણે બેડ ખૂટી રહ્યા છે. દવાઓની કમી પડી રહી છે. ચીનમાં કોરોના સંક્રમણ વધતા ચીન સરકારે એક નિર્ણય કર્યો છે. વધતા કોરોના સંક્રમણને છૂપાવા પ્રયાસ થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. આરોગ્ય મંત્રાલય હવેથી કોરોનાના આંકડા જાહેર નહીં કરે. 


આવનાર સમયમાં વણસી શકે છે ચીનમાં પરિસ્થિતિ

ચીનમાં જે રીતના કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે અંદાજથી આગામી સમયમાં કરોડો લોકો કોરોના સંક્રમિત થઈ જશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં જગ્યા ન હોવાને કારણે લાખો લોકો મોતને ભેટી જશે. દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં થાય. ચીનમાં વધતા કોરોનાને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી રહી છે. અનેક દેશોએ પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરી દીધી હતી.                     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે