આ રાજ્યના મુખ્યમંત્રીએ બદલ્યું નહેરૂ પાર્કનું નામ! સીએમના પુત્રના નામથી ઓળખાશે પાર્ક, જાણો કયા રાજ્યની છે આ ઘટના


  • Published By :
  • Published Date : 2023-06-20 15:41:03

જે રાજ્યમાં ભાજપની સરકાર હોય ત્યાંના સ્થળોનું નામ બદલવામાં ન આવે તે વાત થોડી અજીબ લાગશે. અનેક રાજ્યોની જગ્યાનું નામકરણ થઈ ગયું છે. ભાજપ સરકારની સૌથી મોટી સિદ્ધિઓ જો ગણવામાં આવે તો જગ્યાઓના નામ બદલવામાં લગભગ તેમણે મહારત હાંસલ કરી લીધી છે. આ વાત એટલા માટે કહેવાઈ રહી છે કારણ કે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તો નેહરુ પાર્કનું નામ પોતાના દીકરાના નામે જ રાખી દીધું છે. 


દીકરાના નામ પર રાખ્યું પાર્કનું નામ!   

અનેક એવી જગ્યાઓ છે જેનું નામ ભાજપ સરકાર દ્વારા બદલવામાં આવ્યું છે. થોડા સમય પહેલા દિલ્હી ખાતે આવેલા નહેરૂ મ્યુઝિયમનું નામ બદલવામાં આવ્યું હતું. મ્યુઝિયમનું નામ બદલી પ્રધાનમંત્રી મ્યુઝિયમ કરવામાં આવ્યું છે. પીએમના નામે હવેથી ઓળખાશે. આ વાત તો જૂની થઈ ગઈ પરંતુ હવે ફરી એક જગ્યાનું નામ બદલી દેવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે નહેરૂ પાર્કનું નામ બદલી દીધું છે. દીકરાના નામ માટે જાણે પાર્કનું નામ બદલી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કાર્તિકેય અને કુણાલએ સીએમના દીકરાના નામ છે. જેના નામ પર કથિત રીતે પાર્કના નામ રાખવામાં આવ્યા છે એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. 


નહેરૂ પાર્કનું બદલાયું નામ!

મધ્યપ્રદેશના બુધનીમાં આ પાર્ક છે તેવી વિગતો મળી છે. બુધની એટલે એ જ વિસ્તાર જ્યાંથી શિવરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય છે. ત્યાંના પાર્કનું નામ મોટા દીકરા કાર્તિકિયના નામ પર રાખી દેવામાં આવ્યું છે. થોડા સમય પહેલા કાર્તિકેય પાર્કનું નામ નેહરુ પાર્ક હતું. આ મામલો સામે આવતા કોંગ્રેસ સમર્થિત સાંસદ અજયસિંહે વિરોધ ઉઠાવ્યો હતો. જો કે સામે ભારતીય જનતા પાર્ટીએ પણ આ મામલે જવાબ રજૂ કર્યો હતો. 


કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ! 

કોંગ્રેસના નેતાએ સવાલો કર્યા હતા કે શિવરાજસિંહ ચૌહાણના દીકરા કાર્તિકેય કુણાલે મહારાષ્ટ્ર માટે શું યોગદાન આપ્યું છે? તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિનું નામ ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જવાહરલાલ નેહરુ સામે કાર્તિકેય કુણાલની શું વિસાત?


ભાજપે આપ્યો જવાબ!

કોંગ્રેસ સવાલ કરે અને ભાજપ ચૂપ રહે તેવું શા માટે બને? ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપ્યો હતો કે ત્યાંના રહેવાસી લોકોએ નામકરણ કર્યું  છે તો કોંગ્રેસને તકલીફ ન હોવી જોઈએ. ભાજપના પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ કહ્યું હતું કે દેશભરમાં સાર્વજનિક સ્થળોના નામ એક જ પરિવારના નામ પરથી છે તો કોંગ્રેસે એકવાર આ મામલે વિચારવું જોઈએ. ત્યારે આ મામલે તમારૂં શું કહેવું છે એ કમેન્ટમાં જણાવો.  

 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!