દિલ્હીના મુખ્યમંત્રી હોળીના દિવસે કરી રહ્યા છે ધ્યાન, ધ્યાન કરી દેશ માટે કરી રહ્યા છે પ્રાર્થના!


  • Published By :
  • Published Date : 2023-03-08 14:41:24

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ ધૂળેટીની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધ્યાન પર બેઠા છે. આમ આદમી પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ લખવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે દેશ માટે અરવિંદ કેજરીવાલ પ્રાર્થના કરશે. સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સતત ધ્યાન કરશે. ધ્યાનમાં બેસે તે પહેલા અરવિંદ કેજરીવાલે રાજઘાટની મુલાકાત લીધી હતી.

      

અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે ધ્યાન 

અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી હતી કે પાર્ટીના નેતાઓ સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાની ધરપકડના પગલે તેઓ બુધવારે ધ્યાન કરશે. ઉપરાંત હોળીની ઉજવણી પણ નહીં કરે. કેજરીવાલે કહ્યું હતું કે તે દેશની સ્થિતિને લીધે ચિંતામાં છે. તેમણે દાવો કર્યો કે દિલ્હીના આરોગ્ય અને શિક્ષા ક્ષેત્રને અનેક વર્ષોથી નજર અંદાજ કરવામાં આવ્યા છે.ત્યારે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈને મહેનત કરી ગરીબો માટે સારા આરોગ્ય અને સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે.     

વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન 

કેજરીવાલે કહ્યું કે સ્કૂલ, હોસ્પિટલ બનાવનારાને વડાપ્રધાન જેલ ભેગા કરી રહ્યા છે. લૂંટારાઓને વડાપ્રધાન મોદી ભેટી રહ્યા છે. દેશની આવી સ્થિતિને લીધે હું ચિંતિત છું. ઉપરાંત આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે મનીષ સિસોદિયાને કેન્દ્ર સરકારે એક ષડયંત્ર અંતર્ગત જેલમાં રાખ્યા છે. જે જેલમાં તેમને રાખવામાં આવ્યા છે તે જેલમાં સૌથી ખતરનાક, હિંસક આરોપી કેદ હોય છે. જેલ નંબર એકમાં એવા ક્રિમિનલ હોય છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!