બિપોરજોય વાવાઝોડાને લઈ મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક! તંત્રની તૈયારીઓ અંગે મેળવી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-06-14 12:36:05

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને લઈ મુખ્યમંત્રીએ હાઈલેવલની મિટીંગ બોલાવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બેઠક બોલાવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વાવાઝોડાને લઈ તંત્રની શું તૈયારી છે તે અંગેની પણ સમીક્ષા કરી હોવાની માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગઈકાલે પણ સીએમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. મહત્વનું છે કે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો કોઈ જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

 

મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક!

બિપોરજોય તેજગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે ગતિથી વાવાઝોડું આગળ આવી રહ્યું છે તેમ તેમ ગુજરાત પર ખતરો પણ વધી રહ્યો છે. તેજ પવન અનેક જિલ્લાઓમાં વહી રહ્યો છે તેમજ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે વાવાઝોડાની તીવ્રતા જોઈ મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.પોતાના વિસ્તારમાં મંત્રીઓ પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વાવાઝોડાની પરિસ્થિતિને જોતા અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. 


NDRF તેમજ SDRFની ટીમને કરાઈ છે તૈનાત!

ગુજરાત પર તોળાઈ રહેલા સંકટને નિપટવા માટે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ તેમજ આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અનેક જગ્યાઓ પર તેમને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. વધતી ગભીર પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મહત્વનું છે NDRFની 15 તથા SDRFની 12 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.  વાવાઝોડું આવે તે પહેલા અગમચેતીના ભાગરૂપે હોર્ડિંગને ઉતારી દેવામાં આવ્યા છે. ગઈકાલે કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8 હજાર કરોડ ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.