અમદાવાદ અકસ્માત બાદ શરૂ થયેલું ચેકિંગ માત્ર ચાર દિવસ ચાલ્યું! જો કડકાઈથી ચેકિંગ કરવામાં આવે તો વાંધો શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-24 11:58:45

આપણે ત્યાં જૂની કહેવત છે કે લોઢું ગરમ ત્યારે હથોડો મારવામાં આવે તો તે તેની અસર થતી હોય છે. જે પ્રમાણે આકાર આપવો હોય તે પ્રમાણે તે આકાર આપણે આપી શકીએ છીએ. આ વાત આપણા પર ઘણી રીતે સાચી રીતે ફીટ બેસે છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસ દ્વારા સઘન રીતે ચેકિંગ કરવામાં આવતું હતું. પોલીસ એકદમ એક્શન મોડમાં દેખાતી હતી, ગાડીઓને રોકી લોકોનું ચેકિંગ કરવામાં આવતું હતું પરંતુ તે માત્ર બે દિવસની ચાંદની જેવું હતું! 


નબીરાઓ બીજાના જીવને જોખમમાં નાખે છે!

અમદાવાદમાં થોડા દિવસ પહેલા ઈસ્કોન ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. ત્રણ પોલીસ કર્મીઓ કાળનો કોળિયો બન્યા હતા. રસ્તા પર નબીરાઓ નશાની હાલતમાં ડ્રાઈવ કરતા લોકો પોતાના જીવને તો જોખમમાં નાખે છે પરંતુ બીજાના જીવન સાથે પણ ચેડા કરે છે. 


અકસ્માત સર્જાયા બાદ SOGએ હાથ ધર્યું સઘન ચેકિંગ  

આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત કરનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ હતી. તે સમયે પોલીસ પણ એકદમ એક્ટિવ મૂડમાં દેખાતી હતી. એસઓજીએ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું, અનેક કેફેમાં ચેકિંગ હાથ ધર્યું હતું ઉપરાંત અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ,થલતેજ તેમજ SG હાઇવે પર સર્ચ ઓપરેશન કરાયું હતું. ડ્રગ્સ તેમજ દારૂના સેવન જેવી પ્રવૃત્તિઓ અટકી જાય તે માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 


મણિનગરમાં નશાની હાલતમાં વ્યક્તિએ સર્જ્યો અકસ્માત  

નબીરાઓ નશાની હાલતમાં ધૂત થઈ અકસ્માત ન સર્જે તેમજ આવી પ્રવૃત્તઓ અટકી જાય તેવા સારા હેતુથી આવું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ જો આવું ચેકિંગ હંમેશા ચાલતું રહે તો કેટલું સારૂ? આવું ચેકિંગ સતત રાખવામાં કોઈ વાંધો ખરો? એવું લાગતું હતું કે જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેનાથી આવી પરિસ્થિતિઓ પર કાબુ મેળવી શકાશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં ઘટાડો જોવા મળશે પરંતુ આજે જ્યારે મણિનગરની ઘટના સામે આવી તેણે આશાઓ પર પાણી ફેરવી દીધું. જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે તે નશાની હાલતમાં હતો.


થોડા દિવસ સુધી સઘન રીતે ચેકિંગ કરાયું પરંતુ પછી? 

જ્યાં સુધી ચેકિંગ ચાલતું હતું ત્યાં સુધી લોકો સીધા રહ્યા હશે પરંતુ જેમ ચેકિંગની કાર્યવાહી ધીમી પડી તેમ જ નબીરાઓની કરતૂત સામે આવી રહી છે. જો આવી રીતે ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવે તો કોઈ વાંધો ખરો? ઘટનાના ૪ દિવસ સુધી નિયમો તેમજ ચેકિંગ કડકાઈથી થાય છે, પરંતુ થોડા દિવસો વિત્યા પછી પરિસ્થિતિ ઠેરની ઠેર આવીને ઉભી રહી જતી હોય છે. જ્યાં સુધી તમારું ચેકીંગ હોય ત્યાં સુધી લોકો સુધરેલા દેખાય છે પછી બધા એમના એમ.           



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!