અમદાવાદ અકસ્માત બાદ શરૂ થયેલું ચેકિંગ માત્ર ચાર દિવસ ચાલ્યું! જો કડકાઈથી ચેકિંગ કરવામાં આવે તો વાંધો શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-24 11:58:45

આપણે ત્યાં જૂની કહેવત છે કે લોઢું ગરમ ત્યારે હથોડો મારવામાં આવે તો તે તેની અસર થતી હોય છે. જે પ્રમાણે આકાર આપવો હોય તે પ્રમાણે તે આકાર આપણે આપી શકીએ છીએ. આ વાત આપણા પર ઘણી રીતે સાચી રીતે ફીટ બેસે છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસ દ્વારા સઘન રીતે ચેકિંગ કરવામાં આવતું હતું. પોલીસ એકદમ એક્શન મોડમાં દેખાતી હતી, ગાડીઓને રોકી લોકોનું ચેકિંગ કરવામાં આવતું હતું પરંતુ તે માત્ર બે દિવસની ચાંદની જેવું હતું! 


નબીરાઓ બીજાના જીવને જોખમમાં નાખે છે!

અમદાવાદમાં થોડા દિવસ પહેલા ઈસ્કોન ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. ત્રણ પોલીસ કર્મીઓ કાળનો કોળિયો બન્યા હતા. રસ્તા પર નબીરાઓ નશાની હાલતમાં ડ્રાઈવ કરતા લોકો પોતાના જીવને તો જોખમમાં નાખે છે પરંતુ બીજાના જીવન સાથે પણ ચેડા કરે છે. 


અકસ્માત સર્જાયા બાદ SOGએ હાથ ધર્યું સઘન ચેકિંગ  

આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત કરનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ હતી. તે સમયે પોલીસ પણ એકદમ એક્ટિવ મૂડમાં દેખાતી હતી. એસઓજીએ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું, અનેક કેફેમાં ચેકિંગ હાથ ધર્યું હતું ઉપરાંત અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ,થલતેજ તેમજ SG હાઇવે પર સર્ચ ઓપરેશન કરાયું હતું. ડ્રગ્સ તેમજ દારૂના સેવન જેવી પ્રવૃત્તિઓ અટકી જાય તે માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 


મણિનગરમાં નશાની હાલતમાં વ્યક્તિએ સર્જ્યો અકસ્માત  

નબીરાઓ નશાની હાલતમાં ધૂત થઈ અકસ્માત ન સર્જે તેમજ આવી પ્રવૃત્તઓ અટકી જાય તેવા સારા હેતુથી આવું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ જો આવું ચેકિંગ હંમેશા ચાલતું રહે તો કેટલું સારૂ? આવું ચેકિંગ સતત રાખવામાં કોઈ વાંધો ખરો? એવું લાગતું હતું કે જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેનાથી આવી પરિસ્થિતિઓ પર કાબુ મેળવી શકાશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં ઘટાડો જોવા મળશે પરંતુ આજે જ્યારે મણિનગરની ઘટના સામે આવી તેણે આશાઓ પર પાણી ફેરવી દીધું. જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે તે નશાની હાલતમાં હતો.


થોડા દિવસ સુધી સઘન રીતે ચેકિંગ કરાયું પરંતુ પછી? 

જ્યાં સુધી ચેકિંગ ચાલતું હતું ત્યાં સુધી લોકો સીધા રહ્યા હશે પરંતુ જેમ ચેકિંગની કાર્યવાહી ધીમી પડી તેમ જ નબીરાઓની કરતૂત સામે આવી રહી છે. જો આવી રીતે ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવે તો કોઈ વાંધો ખરો? ઘટનાના ૪ દિવસ સુધી નિયમો તેમજ ચેકિંગ કડકાઈથી થાય છે, પરંતુ થોડા દિવસો વિત્યા પછી પરિસ્થિતિ ઠેરની ઠેર આવીને ઉભી રહી જતી હોય છે. જ્યાં સુધી તમારું ચેકીંગ હોય ત્યાં સુધી લોકો સુધરેલા દેખાય છે પછી બધા એમના એમ.           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.