કેન્દ્રે CJIને તેમના અનુગામીનું નામ આપવા ભલામણ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 16:27:22

કેન્દ્ર સરકારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતને પોતાના અનુગામીનું નામ આપવા પત્ર લખ્યો છે. દેશના CJI યુયુ લલીતનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે ત્યારે તેના પછી કોણ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બનશે તેનું નામ આપવા માટે કેન્દ્ર સરકારે યુયુ લલીતને નામ આપવા માટે ભલામણ કરી હતી. 


નિવૃત થયા પહેલા અનુગામીની કરવાની હોય છે ભલામણ 

ભારતના ન્યાયમૂર્તિઓ અને સુપ્રીમ કોર્ટના જજના MoP એટલે કે મેમોરેન્ડમ ઓફ પ્રોસેજર ઓફ એપોઈન્ટમેન્ટ અંતર્ગત કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખી પોતાના અનુગામી વિશે ભલામણ કરવા માટે જાણ કરી હતી. 


યુયુ લલીત એક મહિના બાદ નિવૃત થઈ જશે 

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતને નિવૃત થવામાં હવે એક મહિનાનો જ સમય બાકી છે ત્યારે તેમના અનુગામી કોણ થશે તે મામલે પ્રશ્ન છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 27 ઓગસ્ટે શપથ અપાવ્યા હતા. દેશના પૂર્વ ન્યાયમૂર્તિ એનવી રમન્ના 26 ઓગસ્ટના રોજ નિવૃત થયા હતા ત્યાર બાદ યુયુ લલીતે CJI તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.