કેન્દ્ર સરકારે Loksabha Election પહેલા પેટ્રોલ ડિઝલના ભાવમાં કર્યો 2 રુપિયાનો ઘટાડો, આ જાહેરાત બાદ લાગે ચૂંટણી નજીક આવી ગઈ!


  • Published By :
  • Published Date : 2024-03-15 11:02:53

સામાન્ય રીતે અમે સમાચાર લખતા હોઈએ છીએ કે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે પરંતુ હવે ચૂંટણીનો સમય છે એટલે સમાચાર લખીએ છીએ કે પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે! કેન્દ્ર સરકારે બે રૂપિયાનો ભાવ ઘટાડો પ્રતિ લિટરે કર્યો છે. ગઈકાલે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને આજ સવારે 6 વાગ્યાથી આ ભાવ ઘટાડનો અમલ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. સરકારી માલિકીની ઓઈલ કંપનીઓએ 2 વર્ષ બાદ ભાવમાં ફેર બદલ કર્યો છે અને વધારવાની જગ્યાએ ઘટાડ્યા છે. 

ક્યાં કેટલા ભાવમાં મળશે પેટ્રોલ? 

સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ મંત્રીએ લખ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે, કરોડો ભારતીયોને પોતાના પરિવારના હિત અને સુવિધા સદૈવ તેમનો લક્ષ્ય છે. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે બાદ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા થયો છે. નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવ હવે 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા થયો છે. 

વિધાનસભા ચૂંટણી વખતે રાજકીય પાર્ટી દ્વારા આપવામાં આવે છે વચનો 

જ્યારે જ્યારે કોઈ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે ત્યારે તે રાજ્યના લોકોને રાજકીય પક્ષો દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય છે કે જો અમારી સરકાર બનશે તો ગેસ સિલિન્ડર આટલા રૂપિયામાં અપાશે, આ સેવાનો લાભ આપવામાં આવશે વગેરે વગેરે... વિધાનસભા ચૂંટણી વખતે આ આપણે જોયું છે, મતાદાતાઓને આકર્ષવા માટે આવી ઓફરો લાવવામાં આવતી હોય છે ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી છે એટલે સમગ્ર દેશના લોકોને લાભ થાય, દેશના લોકો આકર્ષાય તેવી જાહેરાત કરવામાં આવી છે આ વખતે.



ભાવ ઘટાડો થતા લાગે છે કે ચૂંટણી નજીક આવી!    

લોકસભા ચૂંટણીને લઈ ઘડીઓ ગણાઈ રહી છે. ગમે ત્યારે તારીખોનું એલાન થઈ જશે. ચૂંટણી જેમ જેમ નજીક આવતી હોય છે તેમ તેમ મતાદાતાઓને રીઝવવા માટે અલગ અલગ પ્રકારના વાયદા કરવામાં આવતા હોય છે. જેમ જેમ ચૂંટણી પ્રચાર તેજ બનશે તેમ તેમ અલગ અલગ વચનો આપવામાં આવશે. પરંતુ તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થવાની છે તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં રાહત આપવામાં આવી છે. જ્યારે આ ભાવ ઘટાડા અંગેની જાહેરાત કરવામાં આવી ત્યારે જ મનમાં વિચાર આવ્યો હશે કે લાગી રહ્યું છે કે ચૂંટણી નજીક આવી..!



ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.