વેક્સિનને લઈ કેન્દ્ર સરકારે હાથ ઉંચા કર્યા, કહ્યું કોવિડ-19ની વેક્સિનથી થયેલા મોત માટે સરકાર જવાબદાર નથી


  • Published By :
  • Published Date : 2022-11-30 10:00:51

સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. અનેક લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા હતા. કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા કોરોના વેક્સિન લગાડવામાં આવી હતી. ભારતમાં પણ વેક્સિન લેવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. કરોડો લોકોએ વેક્સિન લીધી હતી. પરંતુ અનેક લોકો વેક્સિન લીધા બાદ મોતને ભેટ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપતા કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોના રસીની આડઅસરથી કોઈનું મૃત્યુ થાય તો સરકાર તે માટે જવાબદાર નથી. 

The supply of COVID-19 vaccines has improved, but has demand for it  saturated in India? | ORF

સરકારે વેક્સિનને લઈ હાથ ઉંચા કર્યા 

કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા. કોરોના સંક્રમણ પર નિયંત્રણ લાવવા વેક્સિન લગાવવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિન લેવા માટે અનુરોધ પણ કરવામાં આવતો હતો. પરંતુ વેક્સિન લીધા બાદ અનેક લોકોના મોત પણ થયા હતા. ત્યારે હાલ રસી મુકાવ્યા બાદ બે યુવતીના મોત થયા હતા. મૃતકોને વળતર ચુકવામાં આવે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના જવાબમાં કેન્દ્ર સરકારે એફિડેવિટ દાખલ કરી હતી જેમાં સરકારે જવાબ આપ્યો હતો કે બધું જાણ્યા પછી પણ રસી લે છે અને તેમને પરેશાની થાય, તો સરકારને દોષિત ના ઠેરાવી શકાય. કોરોના રસી લીધા બાદ કોઈનું મોત થાય છે તો સરકાર જવાબદાર નથી. 


વેક્સિન લેવું ફરજિયાત ન હતું - સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો જવાબ

દેશમાં ધીરે ધીરે કોરોના કેસના આંકડા ઘટી રહ્યા છે. ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના વેક્સિન લઈ કોરોના કેસ પર નિયંત્રણ લાવવા સરકારે પ્રયાસ કર્યો હતો. વેક્સિન લેવા લોકોને જાગૃત પણ કરાયા હતા. પરંતુ કોરોના કેસ ઘટતા સુપ્રીમ કોર્ટના વેક્સિન લીધા બાદ મૃત્યુ પામનાર લોકોને વળતર ચુકવવાની અરજી કરવામાં આવી હતી. જે બાદ સરકારે વેક્સિન ફરજીયાત છે તે અંગે યુ-ટર્ન લઈ લીધો હતો. સરકારે એફિડેવિટ રજુ કરતા કહ્યું કે લોકોને રસીની આડઅસરની માહિતી અપાઈ ગઈ હતી. બધુ જાણ્યા બાદ લોકોએ વેક્સિન મુકાવી છે. અને જો એ બાદ લોકોના મોત થાય તો સરકાર તે માટે જવાબદાર નથી. કોરોના રસી લેવી કાયદાકીય રીતે ફરજીયાત કરવામાં આવી નથી.               




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.