કેન્દ્ર સરકારે વધુ 14 એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ! જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ એપ્લિકેશનની મદદ કરતા હતા પાકિસ્તાનનો સંપર્ક!


  • Published By :
  • Published Date : 2023-05-01 15:20:04

ભારતમાં અનેક વખત આતંકવાદી હુમલા થતા રહ્યા છે. જેને લઈ અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આતંકવાદ પર કાબુ મેળવવા ભારત સરકાર અનેક પ્રયત્ન કરી રહી છે. અનેક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભારત સરકારે 14 મોબાઈલ એપ્લિકેશન બ્લોક કરી દીધી છે. આ એપ્લિકેશન એ છે કે જેની મદદથી કથિત રીતે કાશ્મીરમાં કંઈક મોટું પ્લાનિંગ કરી રહ્યા હતા.  


અનેક એપ્લિકેશનને કરાઈ બ્લોક!

આતંકવાદને નાબુદ કરવા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. આતંકવાદી હુમલાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આતંકવાદીને નાબુદ કરવા કેન્દ્ર સરકારે અનેક એપ્લિકેશનને બ્લોક કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા જે મોબાઈલ એપ્લિકેશનને રદ્ કરવામાં આવી છે તેમાં ક્રાયપવાઈઢર, એનિગ્મા, સેફસ્વિસ, વિકરમે, મીડિયાફાયર, એલિમેન્ટ, સેકન્ડ લાઈન, જાંગી, થ્રેમા વગેરે સામેલ છે. 


એપ્લિકેશનના માધ્યમથી આતંકવાદીઓ કરતા હતા સંપર્ક!

મળતી માહિતી અનુસાર આતંકવાદી સંપર્ક કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા.  એજન્સીઓ આ એપ્લિકેશન પર નજર રાખતી હતી. એજન્સીની ચેનલો તેમજ એપ્લિકેશન પર નજર રાખતા હતા. એક વાતચીત એજન્સીની નજરે આવી જે બાદ એપ્લિકેશન વિશે ખબર પડી. એપ્લિકેશનના અનેક ફિચર એવા હતા જેને ટ્રેક કરવામાં મુશ્કેલી થતી હતી. જે બાદ એપ્લિકેશનને બેન કરવામાં આવી હતી.   

   

થોડા સમય પહેલા અનેક એપ્લિકેશન કરાઈ હતી બ્લોક!

ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા ભારતે ચીનની અનેક એપ્લિકેશનને બ્લોક કરી દીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ સમાન ગણાતી એપ્લિકેશનને બેન કરવામાં આવી છે. ગયા વર્ષે લગભગ 250 જેટલી ચીનની એપ્લિકેશનને સરકાર દ્વારા બેન કરવામાં આવી હતી. જેમાં ટિકટોક, શેયરિટ, વીચેટ, હેલો, યૂસી ન્યુઝ જેવી અનેક એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે હવે વધુ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.