એએમસી દ્વારા ખોદેલાં ખાડામાં પડી કાર, સીટીએમ ચાર રસ્તા પાસે બની ઘટના


  • Published By :
  • Published Date : 2023-02-08 13:11:38

રસ્તાનું નિર્માણ થયા બાદ અનેક વખત તંત્ર દ્વારા ખાડા ખોદવામાં આવે છે. અનેક રસ્તાઓ પર ખોડાયેલા ખાડા જોવા મળતા હોય છે. ખોદકામ થવાને કારણે વાહનચાલકોને અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે. તો અનેક વખત રસ્તા પર ખોદાયેલા ખાડાને કારણે અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સીટીએમ વિસ્તારમાં એક ઘટના બની છે જેમાં કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં કાર પડી ગઈ છે. 20 ફૂટ ઉંડા ખાડામાં કાર પડી ગઈ હતી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. 



દોઢ મહિનાથી ખોદવામાં આવ્યો છે ખાડો    

અમદાવાદના અનેક રસ્તાઓ પર ખોદકામ જોવા મળે છે. ખોદકામ થવાને કારણે રસ્તો સાંકડો થઈ જાય છે જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે સીટીએમ ચાર રસ્તા પાસે એએમસી દ્વારા પૂર્વદીપ સોસાયટી નજીક છેલ્લા દોઢ મહિનાથી એએમસી દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. 

ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી



ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી 

નેશનલ હાઈવે નંબર 8 ઉપર સીટીએમ ચાર રસ્તા પાસે વહેલી સવારે એક કારચાલક હાઈવેના સર્વિસ રોડ પર કોર્પોરેશન દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો જેમાં કાર ખાબકી પડી હતી. 20 ફૂટ ઊંડા ખાડામાં કાર પડી જતા કારને કાઢવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. ગાડીને બહાર નીકાળી દેવામાં આવી છે પરંતુ પ્રશ્નએ છે કે લોકોને મુશ્કેલી ના પડે તે માટે પતરા લગાવામાં આવ્યા છે. ત્યારે આ ગાડી કઈ રીતે ખાડામાં પડી તે અંગે પ્રશ્ન છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.