હોડી નદીમાં ડુબી ગઈ, સુરતના 15 લોકો હતા હોડીમાં


  • Published By :
  • Published Date : 2022-11-04 13:09:57

હોડી નદીમાં ડુબી ગઈ, સુરતના 15 લોકો હતા હોડીમાં 


15 લોકોથી ભરેલી એક બોટ નદીમાં ડૂબી હોવાના સમાચાર છે. બોટમા સવાર 15 લોકો મુળ સુરત જિલ્લાના હોવાનુ સામે આવ્યુ છે જેમાથી 2ના મોત થયા છે. આ ઘટના મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં બની હતી. સુરતનાં 15 લોકો ઓમકારેશ્વર દર્શન માટે ગયા હતા અને તે દરમિયાન તેઓ નર્મદા નદીમાં બોટમાં જઇ રહ્યા હતા.

કહેવામા આવી રહ્યુ છે કે આ દરમિયાન જ બોટ નદીમાં ડૂબી ગઇ હતી. આ પછી ઘટનાની જાણ થતા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરી 13 લોકોને બચાવી લીધા પણ માતા દર્શનાબેન અને છ વર્ષનો પુત્ર નક્ષને બચાવી શકાયા નહી. માતા પુત્રનું પાણીમા ડૂબવાને કારણે મોત થયુ છે. ઘટનાની જાણ થતા પરિવારમા શોક છવાયો છે.

આ અગાઉ પણ મધ્યપ્રદેશના ભીંડમાં સિંધ નદીમાં એક બોટ પલટી ખાઈ ડૂબી જતા બોટમા સવાર 14 લોકોમાંથી 12 લોકોને બચાવી લેવાયા હતા જ્યારે 2 લોકો કાળના મુખમા સમાઈ ગયા હતા. આ ઘટના પાછળ બોટ તૂટેલી અને જર્જરિત બોટ સાથે સાથે ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાનુ સામે આવ્યુ હતુ.

આ દુર્ઘટનાને કારણે પરિવારના પગની નીચેથી જમીન સરકી ગઇ હોય તેવો માહોલ સર્જાયો છે. પરિવાર ઘણાં જ આઘાતમાં સરકી ગયા છે. હાલ સ્થાનિક પોલીસે પણ આ દુર્ઘટનામાં તપાસ હાથ ધરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.