જ્ઞાતિવાદને લઈ ભાજપના નેતા જ કરી ટ્વિટ, લખ્યું કે ઉમેદવારની ગુણવત્તા કરતા જ્ઞાતિ જોઈને મતદારો મત આપે છે


  • Published By :
  • Published Date : 2022-11-07 12:41:52

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપના નેતાએ જ્ઞાતિ વાદને લઈ ચૂંટણી પૂર્વે ટ્વિટ કરી છે. ભાજપના નેતા ડો. ભરત કાનાબારે ટ્વિટ કરતા કહ્યું કે ઉમેદવારની ગુણવત્તા કરતા તેની જ્ઞાતિ જોઈને મત આપે છે. તેમની આ ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

લોકશાહી જ્ઞાતિવાદના અજગરની પકડમાંથી મુક્ત થઈ શકી નથી - ડો. ભરત 

છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાતમાં સરકાર બનાવે તે માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. દર વખતની ચૂંટણીમાં જ્ઞાતિવાદ આવી જતો હોય છે. ત્યારે આ વખતે પણ ચૂંટણીમાં જ્ઞાતિવાદ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાએ ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે લોકપ્રતિનિધિઓ ચૂંટાયા પછી સ્વહિતમાં રચ્યાપચ્યા રહે છે. ફરિયાદ કરવાનો અધિકાર લોકોએ ગુમાવી દીધો છે કેમ કે તે ઉમેદવારની ગુણવત્તા કરતા તેની જ્ઞાતિને જ મહત્વ આપે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ લોકશાહી જ્ઞાતિવાદના અજગરની પકડમાંથી મુક્ત થઈ શકી નથી.

 

ભાજપના જે નેતાએ જ્ઞાતિવાદને લઈ ટ્વિટ કરી છે તેમણે અમરેલી અને લાઠી વિધાનસભા બેઠક પરથી દાવેદારી કરી છે. ચૂંટણી પહેલા એમ પણ જ્ઞાતિવાદનો મુદ્દો ઉઠતો હોય છે. ત્યારે જ્ઞાતિવાદને લઈ ભરત કાનાબારની ટ્વિટને લઈ પાર્ટીમાં તેમનો વિરોધ થઈ શકે છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને ફોલો કરે છે. ચૂંટણી સમયે જ્ઞાતિવાદને લઈ તેમણે પ્રહાર કર્યા છે. જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે.

           

 A ટીમ તો ભાજપ જ છે - ભાજપ નેતા

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતના રાજકારણમાં ઝંપલાવી રહ્યું છે.  આમ આદમી પાર્ટી પર અનેક વખત પ્રહાર થયા છે. ભરત કાનાબરે ટ્વિટ કરતા લખ્યું કે આપ કહે છે કે કોંગ્રેસ ભાજપની B ટીમ છે. કોંગ્રેસ કહે છે આપ ભાજપની B ટીમ છે. બી ટીમ જે હોય તે પણ A ટીમ તો ભાજપ જ છે.   


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.