જ્ઞાતિવાદને લઈ ભાજપના નેતા જ કરી ટ્વિટ, લખ્યું કે ઉમેદવારની ગુણવત્તા કરતા જ્ઞાતિ જોઈને મતદારો મત આપે છે


  • Published By :
  • Published Date : 2022-11-07 12:41:52

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપના નેતાએ જ્ઞાતિ વાદને લઈ ચૂંટણી પૂર્વે ટ્વિટ કરી છે. ભાજપના નેતા ડો. ભરત કાનાબારે ટ્વિટ કરતા કહ્યું કે ઉમેદવારની ગુણવત્તા કરતા તેની જ્ઞાતિ જોઈને મત આપે છે. તેમની આ ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

લોકશાહી જ્ઞાતિવાદના અજગરની પકડમાંથી મુક્ત થઈ શકી નથી - ડો. ભરત 

છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાતમાં સરકાર બનાવે તે માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. દર વખતની ચૂંટણીમાં જ્ઞાતિવાદ આવી જતો હોય છે. ત્યારે આ વખતે પણ ચૂંટણીમાં જ્ઞાતિવાદ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાએ ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે લોકપ્રતિનિધિઓ ચૂંટાયા પછી સ્વહિતમાં રચ્યાપચ્યા રહે છે. ફરિયાદ કરવાનો અધિકાર લોકોએ ગુમાવી દીધો છે કેમ કે તે ઉમેદવારની ગુણવત્તા કરતા તેની જ્ઞાતિને જ મહત્વ આપે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ લોકશાહી જ્ઞાતિવાદના અજગરની પકડમાંથી મુક્ત થઈ શકી નથી.

 

ભાજપના જે નેતાએ જ્ઞાતિવાદને લઈ ટ્વિટ કરી છે તેમણે અમરેલી અને લાઠી વિધાનસભા બેઠક પરથી દાવેદારી કરી છે. ચૂંટણી પહેલા એમ પણ જ્ઞાતિવાદનો મુદ્દો ઉઠતો હોય છે. ત્યારે જ્ઞાતિવાદને લઈ ભરત કાનાબારની ટ્વિટને લઈ પાર્ટીમાં તેમનો વિરોધ થઈ શકે છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને ફોલો કરે છે. ચૂંટણી સમયે જ્ઞાતિવાદને લઈ તેમણે પ્રહાર કર્યા છે. જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે.

           

 A ટીમ તો ભાજપ જ છે - ભાજપ નેતા

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતના રાજકારણમાં ઝંપલાવી રહ્યું છે.  આમ આદમી પાર્ટી પર અનેક વખત પ્રહાર થયા છે. ભરત કાનાબરે ટ્વિટ કરતા લખ્યું કે આપ કહે છે કે કોંગ્રેસ ભાજપની B ટીમ છે. કોંગ્રેસ કહે છે આપ ભાજપની B ટીમ છે. બી ટીમ જે હોય તે પણ A ટીમ તો ભાજપ જ છે.   


ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે