ભાજપના નેતાએ કહ્યું, મંદિર બનાવું હોય તો ભાજપને મત આપો અને મસ્જિદ બનાવી હોય તો કોંગ્રેસને મત આપો


  • Published By :
  • Published Date : 2022-11-29 08:04:53

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે પ્રચાર દરમિયાન નેતાઓ એવા નિવેદન આપી દેતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે પાટણમાં ભાજપના નેતાએ નિવેદન આપ્યું હતું. આ નિવેદન વાયરલ થયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે મંદિર બનાવવાના હકમાં હોય તેઓ ભાજપને વોટ આપે અને જે મસ્જિદ બનાવાના હકમાં હોય તે કોંગ્રેસને વોટ આપે.

  

મંદિર બનાવી છે કે મસ્જિદ બનાવી છે? - ભાજપના નેતા  

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. દરેક પાર્ટીના નેતાઓ પ્રચારમાં વ્યસ્ત થયા છે. પ્રચાર દરમિયાન એવા નિવેદનો આપતા હોય છે જેને કારણે વિવાદ સર્જાતો હોય છે. અનેક વખત પોતાના ભાષણમાં હિંદુ-મુસ્લિમ લઈ આવતા હોય છે. ત્યારે પાટણમાં પાલિકા કોર્પોરેટર અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે નિવેદન આપતા કહ્યું કે મંદિર બનાવી છે કે મસ્જિદ બનાવી છે? બોલો ભાઈ, જો તમારે મંદિર બનાવું હોય તો ભાજપને વોટ આપજો અને જો મસ્જિદ બનાવી હોય તો કોંગ્રેસને મત આપજો. આ રેલી પાટણના ઉમેદવાર રાજુલ દેસાઈનો પ્રચાર કરવા આ રેલી યોજાઈ હતી. 

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા, ઇટાલિયાએ કહ્યું સારા માણસોનું  સ્વાગત છે | TV9 Gujarati

અનેક વિવાદીત નિવેદન થઈ રહ્યા છે વાયરલ 

ચૂંટણી સમયે આવા અનેક વિવાદીત નિવેદનો સામે આવતા હોય છે. થોડા દિવસો પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે મહાદેવને અને અલ્લાહને એક ગણાવ્યા હતા. જેને લઈને પણ રાજકારણ ગરમાયું હતું. ત્યારે આ વખતે આ નિવેદનને કારણે પણ વિવાદ સર્જાઈ શકે છે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.