ભાજપના નેતાએ ઓડિશા ટ્રેન અકસ્માતને લઈ આપ્યું ચોંકાવનારુ નિવેદન! નિવેદન આપતા કહ્યું 'TMCનું ષડયંત્ર છે ઓડિશા ટ્રેન અકસ્માત, ટેપ થયા રેલ્વે અધિકારીઓના ફોન'


  • Published By :
  • Published Date : 2023-06-06 10:09:15

થોડા દિવસો પહેલા ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત સર્જાયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 250 જેટલા લોકોના મોત થયા હતાં જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને સારવાર હેઠળ છે. સીબીઆઈ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ટીએમસી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે. નેતાએ બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતને તૃણુમુલ કોંગ્રેસનું કાવતરૂં ગણાવ્યું છે. શુભેન્દુ અધિકારીનું કહેવું છે કે સીબીઆઈની તપાસમાં આ હકીકત બહાર આવવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીએ રેલવે અધિકારીના ફોન ટેપ કર્યા હતા.

  

ઘટનાને લઈ ભાજપના નેતાએ ટીએમસી પર લગાવ્યો આરોપ!

રાજનીતિનું સ્તર દિવસને દિવસે નીચે જઈ રહ્યું છે એવી વાતો અનેક વખત કરવામાં આવે છે. ઘટનાની ગંભીરતાને ન જોતા માત્ર રાજનીતિ કરવા, પોતાના રાજકીય રોટલા શેકવા માટે નેતાઓ એવા નિવદેનો આપે છે જે આ વાતને સાચી સાબિત કરી દે છે. થોડા દિવસો પહેલા ઓડિશામાં બનેલી દુર્ઘટનાને લઈ મૃતકોના પરિવારજનો શોકમાંથી નીકળી પણ શક્યા નથી ત્યારે પશ્ચિમ બંગાળ ભાજપના નેતાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ ઘટનાને ટીએમસીનું કાવતરૂ ભાજપના નેતાએ ગણાવ્યું છે.   


CBI તપાસથી મમતા બેનર્જી કેમ ડરે છે? - સુવેન્દુ અધિકારી

આ ઘટના અંગે શુભેન્દુ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે 'આ ઘટના ટીએમસીનું કાવતરું છે. CBI તપાસથી મમતા બેનર્જી કેમ ડરે છે? અકસ્માત અન્ય રાજ્યમાં થયો હતો, તો મમતા બેનર્જી તપાસથી કેમ ડરી રહ્યા છે? તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીએ પોલીસની મદદથી રેલવેના બે અધિકારીઓના ફોન ટેપ કર્યા. બે અધિકારીઓ વચ્ચેની વાતચીત વિશે તેને કેવી રીતે ખબર પડી? વાતચીત કેવી રીતે લીક થઈ તે પણ તપાસનો વિષય છે. સીબીઆઈ તપાસ દરમિયાન આની પણ તપાસ થવી જોઈએ, નહીં તો હું કોર્ટમાં જઈશ.' ત્યારે શું ખરેખર આ સમય આવી રાજનીતિ કરવાનો છે? પાર્ટી તેમજ નેતાઓ દ્વારા આ પ્રકારના આરોપો લગાવવા શું ઉચિત છે?   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.