ભાજપના નેતાએ ઓડિશા ટ્રેન અકસ્માતને લઈ આપ્યું ચોંકાવનારુ નિવેદન! નિવેદન આપતા કહ્યું 'TMCનું ષડયંત્ર છે ઓડિશા ટ્રેન અકસ્માત, ટેપ થયા રેલ્વે અધિકારીઓના ફોન'


  • Published By :
  • Published Date : 2023-06-06 10:09:15

થોડા દિવસો પહેલા ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત સર્જાયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 250 જેટલા લોકોના મોત થયા હતાં જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને સારવાર હેઠળ છે. સીબીઆઈ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ટીએમસી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે. નેતાએ બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતને તૃણુમુલ કોંગ્રેસનું કાવતરૂં ગણાવ્યું છે. શુભેન્દુ અધિકારીનું કહેવું છે કે સીબીઆઈની તપાસમાં આ હકીકત બહાર આવવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીએ રેલવે અધિકારીના ફોન ટેપ કર્યા હતા.

  

ઘટનાને લઈ ભાજપના નેતાએ ટીએમસી પર લગાવ્યો આરોપ!

રાજનીતિનું સ્તર દિવસને દિવસે નીચે જઈ રહ્યું છે એવી વાતો અનેક વખત કરવામાં આવે છે. ઘટનાની ગંભીરતાને ન જોતા માત્ર રાજનીતિ કરવા, પોતાના રાજકીય રોટલા શેકવા માટે નેતાઓ એવા નિવદેનો આપે છે જે આ વાતને સાચી સાબિત કરી દે છે. થોડા દિવસો પહેલા ઓડિશામાં બનેલી દુર્ઘટનાને લઈ મૃતકોના પરિવારજનો શોકમાંથી નીકળી પણ શક્યા નથી ત્યારે પશ્ચિમ બંગાળ ભાજપના નેતાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ ઘટનાને ટીએમસીનું કાવતરૂ ભાજપના નેતાએ ગણાવ્યું છે.   


CBI તપાસથી મમતા બેનર્જી કેમ ડરે છે? - સુવેન્દુ અધિકારી

આ ઘટના અંગે શુભેન્દુ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે 'આ ઘટના ટીએમસીનું કાવતરું છે. CBI તપાસથી મમતા બેનર્જી કેમ ડરે છે? અકસ્માત અન્ય રાજ્યમાં થયો હતો, તો મમતા બેનર્જી તપાસથી કેમ ડરી રહ્યા છે? તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીએ પોલીસની મદદથી રેલવેના બે અધિકારીઓના ફોન ટેપ કર્યા. બે અધિકારીઓ વચ્ચેની વાતચીત વિશે તેને કેવી રીતે ખબર પડી? વાતચીત કેવી રીતે લીક થઈ તે પણ તપાસનો વિષય છે. સીબીઆઈ તપાસ દરમિયાન આની પણ તપાસ થવી જોઈએ, નહીં તો હું કોર્ટમાં જઈશ.' ત્યારે શું ખરેખર આ સમય આવી રાજનીતિ કરવાનો છે? પાર્ટી તેમજ નેતાઓ દ્વારા આ પ્રકારના આરોપો લગાવવા શું ઉચિત છે?   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!