ગુજરાતમાં ફૂલગુલાબી ઠંડીનો પ્રારંભ, સપ્તાહમાં તાપમાન 2થી 3 ડીગ્રી ઘટયું, અંબાલાલ પટેલે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-11-16 17:28:06

રાજ્યમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીની અસર સ્પષ્ટ અનુભવાય છે. વહેલી સવારે અને સાંજના સમયે તાપમાનમાં ઘટાડો નોંધાતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ સ્થિતિ છેલ્લા 15 દિવસથી વર્તાઈ રહી છે, પરંતુ રવિવારે દિવાળીના દિવસથી દિવસ દરમિયાનનું તાપમાન પણ ઘટ્યું હોવાથી ઠંડીનો અહેસાસ થાય છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે ઠંડીનું પ્રમાણ ધીરે-ધીરે વધી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે.


22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે, હવે ધીમે-ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધવા લાગશે. એક પછી એક ડિસ્ટર્બન્સ આવશે. 22 નવેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થશે. ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે. ધીમે-ધીમે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન ઘટવા લાગશે. અલનીનોની અસર પણ રહેશે. 22 ડિસેમ્બર પછી ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થશે. જેના કારણે ભારે ઠંડી પડશે. જાન્યુઆરી મહિનો પણ ઠંડોગાર રહેશે. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં 5 ફેબુઆરીથી ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાનું શરૂ થશે.


હજુ ઠંડી વધશે


હવામાન વિભાગે રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે આ વર્ષે હાંડથીજાવતી ઠંડી પડે તેવું અનુમાન છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે, આથી ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના શરૂ થયા છે, જેના કારણે લઘુતમ તાપમાન ગગડી રહ્યું છે. નલિયાનું લઘુતમ તાપમાન ગગડીને 13 ડીગ્રી નોંધાયું છે. જોકે ઠંડા પવનો જ્યાં પણ સ્થિર થાય છે એ વિસ્તારનું તાપમાન નીચું આવે છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે, પરંતુ ચાલુ વર્ષે શિયાળાની ઋતુ પર પણ અલ-નીનોની અસર જોવા મળી રહી છે.


સપ્તાહમાં તાપમાન 2થી 3 ડીગ્રી ઘટયું


રાજ્યમાં ઠંડીની સ્થિતી પર એક નજર કરીએ તો એક સપ્તાહમાં તાપમાન 2થી 3 ડીગ્રી ઘટયું છે. જોકે રાજ્યમાં સૌથી વઘુ ઠંડી નલિયામાં અનુભવાય છે.એક સપ્તાહમાં નલિયાનું લઘુત્તમ તાપમાન 5 ડીગ્રી ઘટ્યું છે, તેથી નલિયાનું લઘુતમ તાપમાન 13 ડીગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન ઘટીને 17 ડીગ્રી નોંધાયું છે. અન્ય શહેરનું તાપમાન પણ ઘટીને 17થી 22 ડીગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાજના જણાવ્યા પ્રમાણે દિવાળીના દિવસથી દિવસ દરમિયાન તાપમાન ઘટ્યું છે. હાલમાં દિવસ દરમિયાન 29થી 31 ડીગ્રી તાપમાન રહે છે, જ્યારે સાંજ પછી 17થી 18 ડીગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા ઘણા દિવસોથી સાંજનું તાપમાન 18 ડીગ્રી આસપાસ યથાવત્ રહ્યું છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.