Loksabha 2024નો માહોલ બરાબરનો જામ્યો! હવે તો C.R.Patil Chaitar Vasava પર બોલ્યા! સાંભળો


  • Published By :
  • Published Date : 2024-02-24 12:59:34

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતની 26 લોકસભા સીટોમાંથી 24 સીટો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની છે તો બે સીટો એટલે ભાવનગર તેમજ ભરૂચ લોકસભા બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે આવી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ઈન્ડિયા ગઠબંધન તરફથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. તો ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે ગઠબંધનની જાહેરાત થયા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ ગઠબંધન પર પ્રહાર કર્યા હતા.

ગઠબંધનને લઈ સી.આર.પાટીલે કહી આ વાત!

સી.આર.પાટીલ દ્વારા અનેક વખત નિવેદન આપવામાં આવ્યું છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થશે. પાંચ લાખના લીડ સાથે ભાજપના ઉમેદવારો જીતશે. ત્યારે આજે પણ પોતાની આ વાતને સી.આર.પાટીલે વાગોળી હતી. આપ અને કોંગ્રેસના ગઠબંધન પર પાટીલે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આંધળા અને બહેરાના વિશ્વાસઘાત જેવી સ્થિતિ અહીં થશે. આંધળા અને બહેરા અહીં દીવાસ્વપ્નમાં રાચે છે. આ સાથે જ અમે આ વખતે પણ તમામ 26 બેઠકો જીતવાના છીએ અને હેટ્રિક કરીશું.


અગાઉની લોકસભા ચૂંટણીને કરી યાદ!

તે સિવાય તેમણે કહ્યું કે ચૈતર વસાવાને ભરૂચ સીટમાં માત્ર 13 ટકા મત મળ્યા હતા. લોકસભાની અગાઉની ચૂંટણીમાં સાતમાંથી ચાર બેઠક પર ડિપોઝિટ જમા થઈ હતી. ભરૂચ, ભાવનગરમાં જીતવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જ્યાં બંને બેઠકો પર અમે મજબૂત છીએ. ભાવનગરની બેઠક પણ અમારી મજબૂત છે. ગઠબંધન થશે તો કોંગ્રેસના કાર્યકરો નારાજ થવાના જ છે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસને પણ જીતની કોઈ શક્યતા નથી લાગતી. અમે અમારી તાકાત પર જ ચૂંટણી લડીએ છીએ.  




લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે