Pakistanની કમાન હવે શાહબાઝ શરીફના હાથમાં! વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફે લીધા શપથ, PM Modiએ પાઠવ્યા અભિનંદન


  • Published By :
  • Published Date : 2024-03-05 11:26:41

પાકિસ્તાનમાં થોડા સમય પહેલા લોકસભા ચૂંટણી યોજાઈ. પ્રધાનમંત્રીને લઈ, પાકિસ્તાનમાં કોની સરકાર બનશે તેને લઈ પ્રશ્નો થયા હતા. ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શાહબાઝ શરીફે શપથ લીધા છે. શાહબાઝ શરીફને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીએ લખ્યું તે "શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન." શહબાઝ શરીફે વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લીધા છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ તેમને પીએમ તરીકેના શપથ લેવડાવ્યા હતા. 

પીએમ મોદીએ પાઠવ્યા શહબાઝ શરીફને અભિનંદન! 

અટલ બિહારી વાજપૈયી કહેતા હતા કે આપણે મિત્ર બદલી શકીએ છીએ પરંતુ પાડોશી નહીં. વાત સાચી પણ છે આપણે ત્યાં કહેવાય છે કે પહેલો સગો પાડોશી. ભારતના પાડોશી મિત્રો સાથે કેવા સંબંધો છે તે આપણે જાણીએ છીએ. પાકિસ્તાન સાથે કેવા સંબંધો છે તે આપણે જાણીએ છીએ. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શહબાઝ શરીફે શપથ લીધા છે. સોમવારે તેમણે શપથ લીધા છે અને પીએમ મોદીએ તેમને પીએમ બનવા બદલ શુભેચ્છા પાઠવી છે. એપ્રિલ 2022માં શહબાઝ શરીફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારે પણ પીએમ મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. શહબાઝ એવા સમયે પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળી રહ્યા છે જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા એકદમ બેહાલ થઈ રહી છે.       



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .