ગુજરાતમાં ઠંડીનું વધશે પ્રમાણ, આગામી દિવસોમાં ઘટશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-01-21 09:27:10

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ઘટ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લોકોને ઠંડીથી રાહત મળી હતી. પરંતુ ફરી એક વખત ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલથી ફરી એક વખત ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં તાપમાન 2થી 4 ડિગ્રી જેટલું ઘટી શકે છે. 

 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઠંડી અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 25 જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી ઘટશે. 21 તારીખ સુધી ઠંડી ઘટશે અને ઠંડીથી આંશિક રાહત મળશે. જ્યારે 25થી 27 જાન્યુઆરીથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલ અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 10થી ઓછું રહી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીથી મળી આંશિક રાહત 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા એક બે દિવસથી ઠંડીથી રાહત મળી હતી પરંતુ આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. શીતલહેરનો અનુભવ ફરી એક વખત ગુજરાતવાસીઓને થવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે બે દિવસ ઠંડીથી રાહત મળી હતી પરંતુ ફરી એક વખત કોલ્ડવેવનો અહેસાસ થવાનો છે. એક તરફ સરકાર કોલ્ડ વેવ ની આગાહી કરવામાં આવી રહી છે અને લોકો ને કામ વગર ઘરની બહાર ના નીકળવા માટે તાકીદ કરી રહી છે અને બીજી તરફ ધોરાજીનાં ખેડૂતોને હાલ કડકડતી ઠંડીમાં એમના ખેતરમાં રાત્રે વીજ પુરવઠો મળતો હોવાને કારણે ખેડૂતો પરેશાન છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, સરકારએ વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનું વચન આપ્યું હતું. પરંતુ સરકારનું આ વચન જાણે પોકળ સાબિત થઈ રહ્યું હોઈ એવું લાગી રહ્યું છે.


અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી 

બેથી ચાર ડિગ્રી જેટલું તાપમાન ઘટવાથી ફરી એક વખત ઠંડીનું જોર વધવાનું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની સાથે સાથે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સવારે અને રાત્રીના સમયે કાતિલ ઠંડીનો અનુભવ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં 25 જાન્યુઆરી બાદ તાપમાનમાં ઘટાડો આવશે. હાલ ઠંડીથી આંશિક રાહત મળી છે પરંતુ આવનાર દિવસોમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાઈ શકે છે. ઉપરાંત જાન્યુઆરીના અંત સુધીમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!