અમદાવાદની હવા પણ બની રહી છે પ્રદૂષિત, લોકોને પડતી શ્વાસ લેવામાં તકલીફ


  • Published By :
  • Published Date : 2023-02-20 11:45:05

દિવસેને દિવસે એર પોલ્યુશનમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીની હવાનું સ્તર સતત ઘટી રહ્યું છે તો અમદાવાદ પણ આ માર્ગ પર અગ્રેસર છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. એક્યુઆઈ 150ને પાર મોટા ભાગના વિસ્તારોમાં પહોંચી ગયો છે. પીરાણા પાસે સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું હતું. ચાંદખેડામાં 142 એક્યુઆઈ, રાયખંડમાં 221 એક્યુઆઈ, બોપલમાં 159 એક્યુઆઈ નોંધાયું છે. શહેરમાં વધતું પ્રદુષણ ચિંતાનો વિષય બન્યો છે.


એર ક્વોલિટી ઘટતા વધ્યું પ્રદૂષણ 

અમદાવાદ શહેરનું પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારોની હવા ઝેરી બની રહી છે. પ્રદૂષણ વધતા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એર ક્વોલીટી ઈન્ડેક્સ ચિંતા જનક સપાટી પર પહોંચ્યો છે. અમદાવાદનું એક્યુઆઈ 232 પર પહોંચ્યું છે. સૌથી વધુ ખતરનાક હવા પીરાણાની છે. પીરાણાનું એક્યુઆઈ 345 આસપાસ નોંધાયું છે. તો નવરંગપુરા વિસ્તારનું એક્યુઆઈ 190 નોંધાયું છે. ચાંદખેડાનું એક્યુઆઈ 252 નોંધાયું છે. 


અમદાવાદની હવા બની ઝેરી 

સામાન્ય રીતે એક્યુઆઈનો આંકડો 200ની નીચે રહેવો જોઈએ. જો 200ની ઉપર આંકડો જાય તો હવાની ક્વોલિટી poor ગણાય. 300ને પાર આંકડો જાય તો very poorની સ્થિતિ ગણવામાં આવે છે. અમદાવાદની હવા દિવસેને દિવસે ઝેરી બની રહી છે. વાહનોને કારણે હવામાં પ્રદૂષણ વધુ ફેલાઈ રહ્યું છે. શિયાળાના સમયે એર ક્વોલિટી ઈન્ડેક્સ પર વધારે અસર થતી હોય છે. ગુજરાતની હવા શ્વાસ લેવા જેવી હવે રહી નથી. ગુજરાતના ચાર શહેરો એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની હવા વધુ પ્રદૂષિત થઈ ગઈ છે. રાજકોટમાં 115 એક્યુઆર નોંધાયો છે. સુરતનું એક્યુઆર 100 નોંધાયું છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.