આંદોલન કરી રહેલા કુસ્તીબાજોએ મેડલને લઈ કરી મોટી જાહેરાત, હવે જંતર-મંતર પર નહીં પરંતુ આ જગ્યાએ કરશે ધરણા?


  • Published By :
  • Published Date : 2023-05-30 13:53:04

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા હતા.  WFIના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ પહેલવાનો કરી રહ્યા હતા. પરંતુ રવિવારે થયેલી ઝપાઝપી બાદ દિલ્હીથી પહેલવાનો જતા રહ્યા હતા. આંદોલન વચ્ચે કુસ્તીબાજોએ એક મહત્વની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર કુસ્તીબાજોએ નિવેદન બહાર પાડ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, અમે આ મેડલ ગંગામાં વહાવી દઈશું. ઉપરાંત આમરણ અનશનની પણ વાત કરવામાં આવી હતી.  સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.


ઈન્ડિયા ગેટ ખાતે કુસ્તીબાજો કરશે આમરણ અનશન!

બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનો ઘણા દિવસોથી જંતરમંતર ખાતે ધરણા કરી રહ્યા હતા. યૌન શોષણના આરોપો કુસ્તીબાજો લગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. રવિવારે કુસ્તીબાજોએ માર્ચનું આયોજન કર્યું હતું પરંતુ તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. જે બાદ મોડી રાત્રે પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હીથી પહેલવાનો નીકળી ગયા હતા. આંદોલન વચ્ચે મેડલને લઈ પહેલવાનોએ જાહેરાત કરી કે સાંજે 6 વાગે પોતાના મેડલ ગંગામાં વહાવી દેશે. તે સિવાય સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ઈંડિયા ગેટ પર આમરણ અનશન કરશે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.