ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ કરનાર આરોપીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે ઉકેલાયો આ સમગ્ર કેસ


  • Published By :
  • Published Date : 2023-04-17 10:44:43

થોડા દિવસ પહેલા પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ મામલે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ફાયરિંગ કોણે કર્યું તેનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે એક જવાન વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.

   

આ મામલે કરવામાં આવી સઘન તપાસ! 

આ મામલે એસએસપીએ જણાવ્યું કે પોલીસ આ ઘટનાને લઈ કડક કાર્યવાહી કરી રહી હતી. પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તે દરમિયાન પોલીસ દ્વારા આ ઘટનાને પોતાની નજરે જોનાર દિસાઈ મોહનની કડક પૂછપરછ કરવામાં આવી હતી. કડક પૂછપરછ કરાતા દિસાઈ મોહને પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો હતો. જેમાં દિસાઈએ કહ્યું કે વ્યક્તિગત કારણોને કારણે તેણે આ હુમલો કર્યો હતો. ચાર જવાનોની હત્યા કરવા માટે પહેલા બંદૂક ખરીદી, અને પછી ચાર જવાનોને મારી નાખ્યા હતા. 


સીસીટીવી ફૂટેજના આધારે મળ્યા પૂરાવા!    

આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. જેની મદદથી પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે તપાસ પોલીસે આગળ વધારી હતી. સીસીટીવીમાં સામે આવ્યું કે આ ઘટના બની તે પહેલા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કૈંટ એરિયાની આસપાસ એવું કોઈ ન હતું જે જવાનોને મારવાની ઘટનાને અંજામ આપી શકે. તપાસ દરમિયાન એટલું તો સામે આવ્યું હતું કે હુમલો કરનાર અંદરથી જ આવ્યો હતો. જે બાદ આ ઘટનાને પોતાની નજરે જોનાર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું કે બે વ્યક્તિ સફેદ કપડા પહેરી આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ વાતને ધ્યાનમાં રાખી આરોપી વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.