છત્તીસગઢમાં સર્જાયેલો અકસ્માત આટલા લોકો માટે કાળ સાબિત થયો! બોલેરો અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ!


  • Published By :
  • Published Date : 2023-05-04 11:22:13

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે છત્તીસગઢમાં એક ભયંકર અકસ્માત થયો છે જેમાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે એક બાળકીની સ્થિતિ ગંભીર છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત બાલોદ જિલ્લાના જગતારા પાસે સર્જાયો હતો. ટ્રક અને બોલેરો વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં બોલેરોના ભૂક્કા બોલી ગયા હતા.

   

બોલેરો અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં થયા 10 લોકોના મોત!

બુધવાર રાત્રે છત્તીસગઢમાં એક ભયંકર રોડ અકસ્માત થયો હતો જેમાં ટ્રક અને બોલેરો વચ્ચે ટક્કર થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ટક્કર એટલી ભયાનક હતી કે આ અકસ્માતમાં 10 જેટલા લોકોના મોત થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં દોઢ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા કાંકેર જિલ્લાના મરકાટોલા ગયા હતા અને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. આ તમામ લોકો ધમતારી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

મુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક કર્યો વ્યક્ત!

આ અકસ્માતમાં બોલેરોની હાલત એકદમ ભયંકર થઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મરનાર એક જ પરિવારના સભ્યો હતા. આ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે પણ દુખ વ્યક્ત કર્યું છે. ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે. તેમજ ઘાયલ બાળકી સારી થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.