Ahmedabadમાં ફરી સર્જાયો અકસ્માત, આનંદનગરમાં તથ્યવાળી થતા બચી, જાણો ક્યાં ક્યાં સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-08-17 11:08:01

અમદાવાદમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો  છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં તથ્ય પટેલ નામના નબીરાએ પોતાની ગાડીથી 10 નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા, 10 નિર્દોષ લોકોના મોત થઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં ફરી ફૂલસ્પીડમાં આવી રહેલી ગાડીએ અકસ્માત સર્જ્યો છે. આનંદનગર રોડ નજીક આવેલા ટાઈટેનિટમ સિટી સેન્ટર મોલ પાસે આ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં કાર ચાલકે બે રિક્ષાવાળાને અડફેટે લીધા છે. આ ઘટનામાં કોઈ જાનહાની થયા હોવાના સમાચાર મળ્યા નથી. અમદાવાદ સિવાય આણંદમાં પણ અકસ્માત સર્જાયો છે.  


આનંદનગર નજીક સર્જાયો અકસ્માત

તથ્ય પટેલ વાળો અકસ્માત દરેકને યાદ હશે. 10 નિર્દોષ લોકોને તથ્ય પટેલે અડફેટે લીધા હતા અને અકસ્માતમાં ભોગ બનેલા 10 લોકોના મોત થઈ ગયા હતા. રાજ્યમાં જાણે અકસ્માતની વણઝાર હોય તેવું લાગી રહ્યું છે. તથ્ય જેવો અકસ્માત ફરી એક વખત અમદાવાદમાં જોવા મળ્યો છે. આનંદનગર રોડ નજીક સર્જાયેલા અકસ્માત અંગેની વાત કરીએ તો એક કાર ચાલકે એક ટેમ્પો, ગાડી તેમજ બે રિક્ષાને પોતાની અડફેટમાં લીધી હતી. મહત્વનું છે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે નથી આવ્યા. પરંતુ મહત્વનું છે કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. 


ગઈકાલે અકસ્માતને કારણે થયા હતા અનેક લોકોના મોત 

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. અનેક લોકોના મોત આ અકસ્માતોને કારણે થતાં હોય છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે. અમદાવાદમાં થયેલા અકસ્માત એટલે કે તથ્યકાંડ બાદ અનેક અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે જ બે અકસ્માતો થયા હતા જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. એક અકસ્માત બનસકાંઠામાં થયો હતો જ્યારે બીજો અકસ્માત ભરૂચ નજીક થયો હતો. પહેલા અકસ્માતમાં  દાદા અને પૌત્રનું મૃત્યુ ઘટના સ્થળ પર થયું હતું જ્યારે બીજા અકસ્માતમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે. બે ગાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ગાડીમાં સવાર લોકોના મોત થઈ ગયા હતા.


નિર્દોષ વ્યક્તિઓએ બનવું પડતું હોય છે અકસ્માતનો ભોગ 

મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા હશે. અનેક હસતા રમતા પરિવાર વિખેરાયા હશે. કોઈ વખત બીજા દ્વારા કરવામાં આવતી ભૂલની સજા કોઈ બીજા વ્યક્તિને ચૂકવવી પડતી હોય છે. સોશિયલ મીડિયા પર રોલો પાડવા માટે લોકો સ્ટંટ કરતા હોય છે. ત્યારે સ્ટંટ કરતા લોકોને કારણે કોઈ વખત અકસ્માત સર્જાય છે અને ભોગ સામાન્ય વ્યક્તિ બને છે. ઝડપની મજા બીજા માટે મોતની સજા સાબિત ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!